________________
રાકર
સદયની જીવનકળા ઈ. સ. પૂ. ૨૫૦–૧૮૦૦; ચીન ઈ. સ. પૂ. ૮૦૦-૫૦૦; હિંદ ઈ. સ. પૂ. ૮૦૦-૫૦૦, ગ્રીસમ ઈ. સ. પૂ. ૬૫૦-૩૦૦]
છેવટે શિશિર આવે છે. પ્રાચીન શ્રદ્ધા અને ધાર્મિક્તા છિન્નભિન્ન થાય છે. પરંપરાથી આવેલી રૂઢિઓ અને નીતિના આચારે ભાગી પડે છે, [ ઈજિપ્ત ઈ. સ. પૂ. ૧૬૮૦–૧૫૮૦; ચીન ઈ. સ. પૂ. ૪૮૦-૨૩૦; હિંદ ઈ. સ. પૂ. ૨૬૪–૨૨૮ ૪૦.]
આ બધાં લક્ષણો સ્પેન્સર જીવનની બધી બાબતોમાં–સાહિત્ય-સંગીત -કળા-ધર્મનીતિ-ગણિત એમ જુદી જુદી અનેક બાબતોમાં–તપાસે છે, અને તે તે શૈલી, પદ્ધતિ, અને આચારનું લક્ષણ પકડવા પ્રયત્ન કરે છે. દરેક દાખલામાં સંસ્કૃતિના વિનાશ-કાળના અંતભાગમાં “સુધારે” નામે ઓળખાતી જટિલ વિકૃતિ આવતી હોય છે. સ્પેન્સર પિતાની આ કસોટી યુરોપની આધુનિક સંસ્કૃતિને લગાડી જુએ છે, અને પશ્ચિમને નજીક આવી રહેલો અધ:પાત ભાખે છે.
પા. ૩૭: અધોગામી વાસ્તવવાદ: અગમ્ય કે પર આત્મા એ જ પરમાર્થ છે, બાહ્ય દેખાતું જગત વસ્તુતાએ સાચું નથી, એ જાતના અધ્યાત્મવાદને વિરોધપક્ષ તે વાસ્તવવાદ. તે બાહ્ય જગતની સત્યતામાં માને છે. આમ તત્વજ્ઞાનને સિદ્ધાંત હોવા ઉપરાંત, સાહિત્ય, કળા, નીતિ આચાર એ બધી બાબતોમાં પણ આદર્શવાદથી વિરુદ્ધ એ વાસ્તવવાદ હોય છે. કહેવાતી પારમાર્થિકતા તરફ લક્ષ ન રાખતાં, આપણી આસપાસ જીવન જેવું છે તેવું જ તેને સ્વીકારવું અને માણવું, એ જાતને ભાર બધી બાબતોમાં તે મૂકે છે. એમાંથી વિકૃત થઈ, છેવટે તે વાદ ઈયિગમ્ય તથા ઈદ્રિયભાગ્ય પદાર્થો અને એહિક જીવનમાં જ પારમાર્થિકતા તેમ જ પુરુષાર્થ માનનારો અાગામી વાસ્તવવાદ બની રહે છે.
પા. ૩૮ઃ ડોક્ટર જોન્સન: (ઈ. સ. ૧૭૦૯-૧૭૮૪). ઇગ્લેંડને મહાન કષકાર અને લેખક. તે એક બુકસેલરનો પુત્ર હતો, તથા પદવી લીધા વિના જ ઑકસફર્ડ છોડી ગયો હતો. લંડનમાં લેખક તરીકે પગભર થતા પહેલાં તેને ઘણે વખત દરિઘ વેઠવું પડ્યું હતું. પણ અંતે, તેના ગાળામાં તે ઇંગ્લંડનો સૌથી મટે સાક્ષર ગણાશે. તેની ડિક્ષનરી” ઈ. સ. ૧૭૫૫ માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર પહેલાં તેણે બીજાં કેટલાંક પુસ્તકો (જેમ કે, “વેનીટી ઓફ હ્યુમન વીશીઝ' ઇ.) લખીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેનું “રાસેલાસ” ઈ. સ. ૧૭૫૯ માં પ્રગટ થયું, અને બે વર્ષ સુધી “સ્પેકટેટર”ની શૈલીમાં તેણે બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org