________________
સામાજિક ખેંચાતા
૨૪૭ છે, અને તેને સામાજિક ફિલસૂફીના ધ્રુવતારારૂપ ગણે છે. તેમણે આપેલું એક ઉદાહરણ હું ટૂંકમાં અહીં કહી જાઉં, દેખીતું તે તે બહુ સામાન્ય છે, પરંતુ તેનું રહસ્ય બહુ ઊંડું છે. . રઈસ કહે છે, હું મારા મિત્રને ચાહતે હોઉં છું, તેથી જ જ્યારે મારે કંઈ અગત્યનું કહેવાનું હોય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે મારો શ્રોતા બને એવી હું અપેક્ષા રાખું છું. અને તે જ કારણથી જયારે તેને કંઈક કહેવું હોય છે, ત્યારે હું તે સાંભળ્યા કરું એવી એ અપેક્ષા રાખે છે. આમાંથી
ડું યા વહેલું એવું બનવાનું , અમે વને વવતે વ દેવી માતા છું. એ રીતે અમે બંનેનાં પ્રયોજન અથડામણમાં આવવાનાં અને બંનેમાં ચડભડાટ થવાને. એ જાતની અથડામણ પ્રેમના માર્ગમાં ઠેર ઠેર ઊભી થાય છે; અને જ્યારે બંનેની સમક્ષ કોઈ ત્રીજું સામાન્ય ધ્યેય એવું ન હોય, કે જે તે અથડામણને સંભાળી લે, ત્યારે ધીમે ધીમે એ ચડભડાટ તીવ્ર બનતું જાય છે, અને અંતે બંને વચ્ચે વિચ્છેદ ઊભું થાય છે. માણસે કે પ્રજાઓ વચ્ચે નિકટ સંબંધને કારણે એક બાજુ જેમ એકબીજાને મદદ કરવાની સગવડ થાય છે, તેમ બીજી બાજુ એકબીજાની અથડામણમાં આવવાની શક્યતા પણ વધતી જાય છે. બે માણસે જ્યારે એકબીજાની સાથે ચાલવા માંડે, ત્યારે જ તેમને એકબીજાના માર્ગમાં આવવાના ઘણું પ્રસંગ આવે; પરંતુ તેઓ માઈલ જેટલા દૂર ચાલતા હોય, તે તેવા પ્રસંગ ભાગ્યે જ આવે. રાષ્ટ્રસંઘે આ બાબત ઉપર દુર્લક્ષ કરવું જોઈએ નહીં.
તે પછી પ્રશ્ન એ ઊભે થાય છે કે, પ્રેમ અને દ્વેષની બાબતમાં માણસનું કુદરતી વલણ શું હોય છે? માણસ સ્વભાવથી પોતાના પડેશીને ચાહવા ઈચ્છતા હોય છે, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org