SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ સર્વોદયની જીવનકળા દાખલા તરીકે, એક પક્ષના રાજદ્વારી પુરુષોએ કરેલી સંધિ જ્યારે તેમનાથી વિરોધી સિદ્ધાંતવાળા કે કાંઈ પણ સિદ્ધાંત વિનાના રાજદ્વારી પુરુષને, કે પિતાના પૂર્વજોએ આપેલી બાંહેધરીઓ પ્રત્યે જરા પણ આદરભાવ વિનાની પેઢીને, પાળવી પડે છે, ત્યારે તેમ જ બને છે. મિ. વિકટર ચેરબૂલી ગણતરી કરી છે કે, ઈ. સ. પૂ. ૧૫૦૦ થી ઈ. સ. ૧૮૬૦ સુધીના ગાળામાં ૮૦૦૦ સુલેહનામાં ઉપર દસકત કરવામાં આવ્યા હતા અને તેમાંનું દરેક સરેરાશ બે વરસ સુધી કાયમ રહ્યું હતું. એ આંકડા ચોક્કસ હો કે ન હે; પરંતુ એક વાત તે નક્કી છે કે, સુલેહનામાંના ક્ષેત્રમાં બાળમરણનું પ્રમાણ ઘણું મોટું છે. રૂસ કહે છે તે જાતને કિઈ “સામાજિક કરાર”* કદી પણ કરવામાં આવ્યું હશે પણ તે બહુ લાંબો વખત ચાલ્યો હોય તેમ લાગતું નથી. કારણ કે રૂસે જ્યારે તેને શોધી કાઢવાની વાત કરે છે, તે સમયે તે તે લગભગ પૂરેપરે નષ્ટ થવાની સ્થિતિમાં આવી ગયે હતો, અને પૃથ્વી ઉપર તેના રહ્યા સાચા અવશે જ દેખી શકાતા હતા. બે વ્યક્તિઓનાં લગ્નથી માંડીને બે પ્રજાઓ વચ્ચેનાં સુલેહનામાંઓ સુધીની, અને રાષ્ટ્રસંઘની સ્થાપનાથી માંડીને સામાજિક કરાર સુધીની બધી સહકારી જનાઓ, સંધિઓ, કે સંબંધને એક વખત અસ્તિત્વમાં લાવ્યા પછી તેમની સતત કાળજી ન રાખીએ, તે તે તરત જ “કાગળનાં ચીથરા”, અથવા તેથી પણ નકામી ચીજો બની જવાનું શરૂ કરી દે છે, અને તેમાંનાં ઘણાંખરાં, “બાળવય” માં જ મૃત્યુ પામી જાય છે, તેનું કારણ પણ એ જ છે. માણસે ઉપાડેલાં કામના બીજા કોઈ ક્ષેત્રમાં કાળે આટલો બધો કેર નથી વરતા : ઈતિહાસ સાગરના કિનારાઓ તૂટેલા કરારોના અવશેષોથી છવાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy