________________
ઉદ્યોગને વહીવટ
૧૮૫ પણ બને કે, અમુક ધંધાઓના પ્રતિનિધિત્વવાળી સરકાર જ સત્તા ઉપર આવે; અને બાકીના ધંધાઓના પ્રતિનિધિવાળો પક્ષ વિરોધપક્ષ જ રહે. એ વસ્તુસ્થિતિ પણ ઔદ્યોગિક સ્થિરતા માટે વધુમાં વધુ ભયભરેલી છે, એ ઉઘાડું છે.
અત્યારે વિરુદ્ધ દિશામાં વળવાનાં ચિહેનો દેખાતાં હોવા છતાં, વખત જતાં ઔદ્યોગિક તંત્રને વિકાસ રાષ્ટ્રીય રાજકારણથી સ્વતંત્ર રીતે જ થવા લાગશે એવો સંભવ છે. ઔદ્યોગિક સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ જેમ જેમ વધારે ને વધારે પ્રમાણમાં સ્વીકારાતું જાય છે, તેમ તેમ બધી પ્રજાઓના કામદારો પોતાનાં સામાન્ય હિતે સિદ્ધ કરવાને અર્થે જુદાં જુદા રાજ્યતંત્રમાં મળે છે તે કરતાં વધુ અસરકારક સાધન શોધી કાઢશે. “માનવજાતિનો સંઘ” જેવી વસ્તુ કઈ દિવસ પણ આ પૃથ્વી ઉપર અવતરવાની હશે, તે તે એક સહકારી સંઘ હશે. તેનું ઐક્ય કોઈ રાજકીય તંત્ર ઉપર આધાર રાખતું નહીં હોય; પરંતુ સૌ કોઈ ભેગા મળી, જે હેતુની સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હશે તે હેતુની વાસ્તવિક અગત્ય ઉપર તથા તે હેતુની સિદ્ધિ માટેના પ્રયત્નોને કારણે પરસ્પર વફાદારીની જે ભાવના ઊભી થતી હશે, તેના ઉપર આધાર રાખતું હશે. પરસ્પર વીમે ઉતારવાની સંસ્થાને દાખલે સૂચવે છે કે, આજની દુનિયામાં પણ તે દિશામાં વિકાસના માર્ગોને સદંતર અભાવ નથી જ.
કઈ પણ ઉદ્યોગના વહીવટમાં નાણાંકીય કે તેવી બીજી બાબતમાં ચોક્કસ અને તાત્કાલિક નિર્ણયની ખાસ જરૂર હોય છે. વિવિધ પક્ષે વચ્ચેના ઝઘડાને કારણે ચાલતી લાંબી લાંબી ચર્ચાઓથી થતી ઢીલ, તે ચર્ચાઓને અંતે કરવામાં આવતી કઢંગી બાંધછોડ, તથા તેનો અમલ કરતી વેળા સરકારી ખાતાંની લાલ પટ્ટી કે તુમાર-પદ્ધતિ – એ બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org