SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સર્વોદયની જીવનકળા જોઈએ', એ સિદ્ધાંત ઉપદેશવાથી કાંઈ એ નિયમનું આચરણ શરૂ ન થાય. જ્યાં સુધી બધી પ્રજાઓની એક ભેગી થાપણ ન હોય, અને તેને વહીવટ કરવાનો બધી પ્રજાઓને પૂરતો અભ્યાસ થઈ ગયે ન હોય, ત્યાં સુધી બીજાની મિલકતને પવિત્ર માનવાનું માત્ર મૌખિક શિક્ષણ અસરકારક નહિ નીવડે. બીજા શબ્દોમાં કહીએ તે, આંતરરાષ્ટ્રીય અક્ય ફક્ત ભેદો દબાવી દેવાથી કે યુદ્ધની “બંધી’ કરવાથી કે તેવાં નિષેધાત્મક પગલાંથી સિદ્ધ નહિ કરી શકાય; પરંતુ જેની સફળતા પુરવાર થઈ હોય તેવા કેઈ સિદ્ધાંત અનુસાર સક્રિય સહકાર અને સહિયારી માલકીનું ક્ષેત્ર કે ક્ષેત્રે ઊભાં કરવા દ્વારા જ સિદ્ધ કરી શકાય. પ્રે. રેઈસની કામચલાઉ પેજના આ બધી શરતો પૂરી કરતી હતી. તેમની સૂચના એવી હતી કે, એક આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટ કે ફંડ સ્થાપવામાં આવે; તેને આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓના વહીવટ હેઠળ રાખવામાં આવે; અને વીમો ઉતારવાની પરિચિત સંસ્થામાં સફળ પુરવાર થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર તેને વહીવટ કરવામાં આવે. સામાન્ય વીમા-સંસ્થાની થાપણની પેઠે જ વીમે ભરનારી પ્રજા પાસેથી વરસે વરસ વસૂલ કરાતા ફાળાઓ વડે જ તે આંતરરાષ્ટ્રીય થાપણ ઊભી કરવામાં આવે. તે થાપણને આખી દુનિયામાં જુદે જુદે ઠેકાણે થઈને એવી રીતે રેકી દેવામાં આવે કે જેથી કોઈ હુમલાખોર તેને એકીસાથે હાથ ન કરી શકે. કોઈ પણ પ્રજાના જાન અને માલનાં જે કોઈ જોખમે આંતરરાષ્ટ્રીય રીતે વીમાં ઉતરાવી શકાય તેવાં ઠરાવવામાં આવે, તેટલાને વીમો એ થાપણને આધારે ઉતારવામાં આવે. આવી કોઈ યોજના અમલમાં આવે, તે યુદ્ધની સંભવિતતા ઓછી કરવામાં તેની નિષેધાત્મક અસર નજીવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy