SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સર્વોદયની જીવનકળા કે, દરેક સ્વતંત્ર નાગરિકને પગાર વિના જ કામ કરવાને જે હક હોય છે, તે હક સ્ટીમેઝ જોગવતા હતા. મને લાગે છે કે, તે પેલા યંત્રશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી, તથા પરમેશ્વરના નમ્ર સેવક – હુસેન અલીના જ વર્ગના હતા. જવાબદાર નાગરિકને કેઈ સારા ધંધામાં પોતાનું નસીબ અજમાવવાને હક છે; પરંતુ તેને અભાગી અને કચરાયેલા લોકોના વર્ગમાં જ ભળવાને, તથા તેમના કંગાલ ધંધામાંથી તેમને જ ધોરણે મહેનતાણું મેળવવાને પણ હક છે. તેને જેમ જીતતા પક્ષમાં જોડાવાને હક છે, તેમ હારતા પક્ષમાં પણ જોડાવાનો હક છે. તમે કહેશે કે તેને સુખ ભેગવવાને પણ હક છે, તો તે કબૂલ છે; પરંતુ આનેલ્ડ વીંકલરીડની પેઠે ભાલાનાં અણિયાં પોતાની છાતી પર ઝીલવાની ફરજ આવી પડે, તો તે પણ તેનો હક નથી શું? હું તે એને માણસના બધા હકોમાં સૌથી વધારે કીમતી હક ગણું. તે હક એટલે તેની ફરજ બજાવવાને હક – દુઃખ ભગવાને હક, તેના બીજા જે કઈ હક હય, તે બધાની પ્રથમ શરતરૂપ તે હક છે. “આદર્શ સમાજવ્યવસ્થા” નું ચિત્ર કઈ વેળા એવું દોરવામાં આવે છે કે, તે વ્યવસ્થા નાગરિકને તેની બધી જવાબદારીઓમાંથી આપોઆપ મુક્ત કરી દે છે; તથા તેની ખાંધેથી તે બધો બોજો ઉઠાવી, પોતાની ખાંધે લઈ લે છે. નાગરિકે તે માત્ર મતપેટીમાં પોતાનો મત નાખી આવવાને – ટિકિટ લેવા માટે તેના યંત્રના કાણામાં આને નાખી આવે તેમ. પછી બાકીનું બધું તે આદર્શ સમાજવ્યવસ્થા જ કરી લે. આપણને કેટલીકવાર એમ લાગે છે કે, એ જાતની વ્યવસ્થા જ આપણને માફક આવશે. પરંતુ વસ્તુતાએ આપણામાંને કઈ તેને એક દિવસ પણ વેઠી ન શકે. કારણ કે, તે તે આપણે નવાવવા માટેનો સુ છીનવી લે છે; અને સ્વતંત્ર માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy