SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા કેટલાક ફિલસૂફે એમ પ્રતિપાદન કરે છે કે, વસ્તુનું સ્વરૂપ તેની કિયાથી પ્રગટ થાય છે. દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ એ સિદ્ધાંત બરાબર હશે કે નહિ, પરંતુ એટલું તે નકકી જ છે કે, કઈ પણ વસ્તુનું કાર્ય શું છે એ સમજ્યા સિવાય તે વસ્તુ કેવી છે તે સમજવાનું બીજું કાંઈ જ સાધન નથી. અને જ્યારે તમે કઈ મનુષ્ય કે તેના સમાજનું લક્ષણ બાંધવા ઈચ્છે, ત્યારે તો તે નિયમ ખાસ સાચે ઠરે છે. તમે કઈ માણસને ‘બેપગું પ્રાણું” કહીને વર્ણવે છે, ત્યારે તે કેવી રીતે ચાલે છે તે બતાવે છે; અર્થાત્ તે શી ક્રિયા કરે છે તે વિષે કંઈક કહે છે. કોઈ પણ કૃતિ દ્વારા અંતે શું પ્રયોજન સિદ્ધ થાય છે તે જાણ્યા વિના તેનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. તેમાંય માણસ જેવી સજીવ કૃતિનું સ્વરૂપ તો કદી ન સમજાય. તે દૃષ્ટિએ નાગરિક નવાવતારી ઉઠાવવાની અને તેને Gર પાડવાની ક્રિયા રે છે, એમ જરૂર કહી શકાય. ઉપરાંત, જ્યારે આપણે કઈ વસ્તુનું લક્ષણ બાંધીએ છીએ, ત્યારે બીજા કોઈ કે તે વસ્તુ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ પણ કહી દઈએ છીએ. માણસ એટલે બે પગે ચાલનારું પ્રાણ એમ કહીએ, તેની સાથે જ આપણે એ પણ કહેતા જઈએ છીએ કે, તેણે ટટાર ચાલવું જોઈએ અને બેઠાડુ કે નિશ્ચલ દશામાં પોતાનું જીવન ન ગાળવું જોઈએ. સાપ એ ઝેરી પ્રાણી છે એવી તેની વ્યાખ્યા બાંધીએ, તેની સાથે જ આપણે લોકોને ચેતવીએ છીએ કે, તેમણે સંભાળીને સાપ જોડે કામ પાડવું જોઈએ. આપણે કોઈ શીશી ઉપર ઝેર” એવું લખીએ છીએ તેની સાથે આપણે કહી દઈએ છીએ કે, કેઈએ તેને પીવું નહિ. આપણે કઈ વસ્તુ સારી કહીએ તેનો અર્થ એ છે કે, આપણે બધા માણસોને તેનું સંમાન કરવાનું, તેને ટેકો આપવાનું, અને તે પ્રમાણે વર્તવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy