________________
૧૫૩
ટ્રસ્ટીપણું આવી જાય છે. કામ કરનાર કામદાર તરીકે તેને એવે ધ મેળવવાને હક છે કે જે તેને ઉત્તમતા દાખવવાની, અને એ રીતે તેને પિતાના જમાનામાં તથા પિતાને સ્થાને ઉપયોગી બનવાની તક આપતો હોય. આગળના વ્યાખ્યાનમાં મેં તેને “કુશળતાને હક' કહ્યો છે. અને બીજાની સેવા લેનાર વ્યક્તિ તરીકે તેને એ હક છે કે, તે પૈસા આપીને જે કાંઈ વસ્તુ ખરીદે, તે પૂરતી કાળજી અને અને કુશળતાથી બનાવેલી હોય; અર્થાત્ તેના પૈસાના બદલામાં તેને પૂરતું વળતર મળવું જોઈએ. અને જ્યારે તેમ નથી થતું, ત્યારે તેને ચેકસ અન્યાય થાય છે. વળી તેને પોતાની ફુરસદ માણવાનો પણ હક છે. પરંતુ હંમેશાં એ શરતે કે, તેને કારણે તે બીજા માણસોને પેતાના ગુલામ ન બનાવે; અને સામે તેને એ જ હક છે કે, બીજાએ તેને પિતાનો ગુલામ ન બનાવે. એ બાબતમાં જેમ એ તેમનો ટ્રસ્ટી છે, તેમ તેઓ પણ એ બધી બાબતમાં તેના ટ્રસ્ટી છે.
નાગરિકને આ રીતે એકબાજુ કામ કે સેવા કરનારો તથા બીજી બાજુ કામ કે સેવા લેનાર ગણુએ, તે ઔદ્યોગિક સમાજને આદર્શ સ્પષ્ટ થતો જાય છે. એ આદર્શ, જગદુવ્યાપી અને જગત જેટલા ઊંડા એક એવા સમાજને આદર્શ છે કે, જે અરસપરસ ટ્રસ્ટીપણના સંબંધથી બંધાયેલા અને રોજના કામકાજમાં અન્ય વફાદારીથી પ્રાણવાન બનેલા માણસોને બનેલું છે. રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પણ આપરિભાષામાં આપી શકાય.
કંઈક ચોકસપણે સંગઠિત એવા આ જાતના સમુદાયે રાષ્ટ્રની અંદર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ક્યારનાય અસ્તિત્વમાં છે. વ્યાપારી જગતની ઊંચામાં ઊંચી કક્ષાએ અને ખાસ કરીને શરાફી અને પરસ્પર વીમાનું કામ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org