________________
૧૫ર
સર્વોદયની જીવનકળા અને ઉત્તમ કોટિનું કામ કે જે કરનારને માટે ભાસ્પદ મનાતું હશે – એવા ભેદ પાડવામાં આવતા હશે. તેના નાગરિકબંધુઓ તેના ઉપર એ ભરોસે રાખતા હોય છે કે, તે એવી ઉત્તમ રીતે જ કામ કરશે કે જે તેને પિતાને શભાસ્પદ હોય, અને તેમને બધાને વસ્તુતાએ ઉપકારક થઈ પડે તેમ હોય. આની અંદર જ પિતાનું કામ સારામાં સારી રીતે કરવા માટે જોઈતી આવડત શક્ય તેવા બધા માર્ગોએ પ્રાપ્ત કરી લેવાની ફરજ પણ આવી જ જાય છે. અને બીજાઓની સેવા લેનાર નાગરિક તરીકે તેની ફરજ એક બાજુ એ છે કે, તે પિતાના નાગરિક બંધુઓમાં સારું કામ કરવાની શક્તિ વધારે : પિતાના ફાયદાની વાત છે તે માટે જ નહીં, પરંતુ તેથી વધારે તો એટલા માટે કે તેઓને માટે એ ફાયદાકારક છે. અને બીજી બાજુ, જે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં કે ઉત્પન્ન કરવામાં બીજાઓને મૂઢ યાંત્રિક મજારી કરવી પડે તેમ હોય, તે બધી માટેની પિતાની માગણી તે નિયંત્રિત કરી દે. ખાસ કરીને તેણે પિતાની ફુરસદને સમય એવી રીતે ન ગાળ જોઈએ કે જેને કારણે બીજા માણસોને હલકી મજૂરી કરવી પડે. બીજાઓ માટે તે જ્યારે કામ કરતે હોય તે વખતની જેમ જ, બીજાઓ જ્યારે તેને માટે કામ કરતા હોય છે તે વખત દરમ્યાન પણ, અર્થાત્ તેના કુરસદના સમયમાં પણ તેનું ટ્રસ્ટીપણું બંધ પડતું નથી. આ બધી ફરજો એવી છે કે, તે બધી બહારના દબાણથી તેના ઉપર ન જ લાદી શકાય. જે તે કદી પણ તે ફરજો અદા કરશે, તો પિતાની રાજીખુશીથી જ કરશે.
હવે તેના “હક” ઉપર આવીએ. આપણને જણાશે. કે, તેની “ફરજોનું બીજું પાસું વર્ણવવામાં તેના “હકો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org