________________
૧૨૬
સર્વોદયની જીવનકળા કાંઈ કામ કરવા મરજી નથી અથવા સરકારી દાન ઉપર જીવવું છે; પરંતુ તે તે એવા લોકો માટે છે કે જેઓને કામ કરવું પસંદ છે, તથા અત્યાર સુધી પોતે જે જાતનું કામ કરતા આવ્યા છે, તેના કરતાં કાંઈક વધારે સારી જાતનું કામ કરવાની ઈરછા છે. અર્થાત્ મારે પક્ષ તો સમગ્ર માનવ જાતિ માટે છે; અને ખાસ કરીને પિતાને જે ઇંગ્લંડનો “કામદાર વર્ગ કહેવરાવે છે તે ભાગને માટે છે. હું કહીશ કે, મુખ્યત્વે સંચા ઉપર કામ કરનારા આ કામદારોની સાચી માગણે આજને મજુરપક્ષ” સમજ જ નથી. તેમની માગણી એ નથી કે, અમને વધારે પગાર આપે, અને મૂરખ બનવા માટે વધારે ફુરસદ આપો.” તેમની માગણી તો એ છે કે, “ખુદાને ખાતર અમને કંઈક સારું કામ કરવાનું આપ.” એ જ માગણી જમાનાઓથી આખી માણસજાત કર્યા કરે છે; એ જ માગણી સારી, ઔદ્યોગિક સંસ્કૃતિની છે. કારખાનાનો મજૂર શું, ગુંડે શું, ગુનેગાર શું, વેશ્યા શું, કે ધની મૂખ શું– બધા જ સાચી રીતે એ વસ્તુ જ માગતા હોય છે – “અમને કંઈક સારું કામ કરવાનું આપો!”
એટલાથી મજૂરપક્ષવાળાઓના મનમાંથી દાવપેચને ભય તે દૂર થઈ ગયા હશે પછી હું “ગંભીરતાથી અને પૂરેપૂરી સાનસમાજ સાથે તેમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે, યાંત્રિક મજૂરીના કલાકે ઓછા કરવાથી વધતી જતી લોકોની કુરસદ (તે વધારવાનો મારે પક્ષ ઈંતેજારીપૂર્વક પ્રયત્ન કરશે) એ તે લોકોની કુશળતા વિકસાવવા માટેની તકરૂપ છેઃ ડાહ્યા રાજકીય નેતાઓ અને કેળવણીકારે તેની લાંબા કાળથી રાહ જેતા હતા. ખીલવ્યા વિનાની પડતર પડી રહેલી રાષ્ટ્રીય સાધનસંપત્તિઓમાં તે સૌથી મોટી છે. હું તો એમ પણ કહ્યું કે, એ તે અત્યાર સુધી ખોવાઈ ગયેલે માનવજાતિના “સુખનો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org