________________
વરર
સર્વોદયની જીવાળા ઉપદેશ સાંભળવા કે તે ઉપદેશ આપવા માટે નીકળતે; અથવા કોઈ તીર્થસ્થળની યાત્રાએ નીકળતો. આમ, તે જ્યાં જ્યાં જતા, ત્યાં પહોંચીને અર્થપૂર્ણ એવું કાંઈક “સ્તો.” મુસાફરી દરમ્યાન પણ તે જ્ઞાન ભેગું કરતો કે પોતાની પાછળ મૂકતો જતે; અને જ્યારે મૂળ ઠેકાણે પાછો આવતો, ત્યારે પહેલાં કરતાં વધારે ડાહ્યો બનીને આવતો. આ જાતના મુસાફરોએ જ હુન્નરકળાને પ્રચાર કર્યો છે, જ્ઞાનને ફેલાવે કર્યો છે, તથા આખા જગતને સુધારનારા ધર્મો ઉપદેશ્યા છે. આજે તે એવા એક જણની જગાએ દશ હજાર જણા મુસાફરીએ નીકળે છે; અને ટિકિટનું તથા હોટલનું બિલ ચૂકવી દીધું અને “જોવાનું જોઈ લીધું, એટલે તેમનું કામ પૂરું થાય છે. તેમની મુસાફરી, તેમને ઉતારે, અને તેમના ખાનપાન પાછળ મોટા પ્રમાણમાં એંજિનનું બળતણ, રસ્તાને આવરદા, અને માણસની મજૂરી ખરચાઈ જાય છે; પરંતુ બદલામાં, જે સ્થળેએ તેઓ જાય છે, ત્યાંના જીવનમાં તેઓ
ડું ચલણી નાણું અને ખાલી અચંબા સિવાય બીજા કશાન ઉમેરે નથી કરતા; તથા જાતે પણ દ જેવાં, ખાણું ખાવું, હવાફેર કરે, અને હરફર કરવી–એ સિવાય બીજું કશું નથી લાભતા.
સ્થળ-ભાવનાથી જ વિચાર કરનારા, આંખની જ ઉપાસના કરતા, તથા રખડુ બની ગયેલા આજના જમાનામાં કુરસદને જે અર્થ થાય છે, તેનો આ, હજારમાંથી એક પણ અતિ સૂચક નમૂન છે. “કુરસદ એટલે વસ્તુઓ જોયા કરવા વડે થોડા ઘણા આનંદમાં વખત પૂરી કરે,” એ અર્થ આજે, “કાંઈક વસ્તુઓ રચવા દ્વારા કે કરવા દ્વારા વખતને સચેતન કરે,” એ જાતના કુરસદના બીજા અર્થને દબાવી રહ્યું છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW