________________
મજૂરીને અણગમો
૧૦૫ અહીં પણ હું ફરી ભાર મૂકવા માગું છું કે, સમાજના સહકારમૂલક કામમાં મજૂરીના સમયમાં કરાતા કામકાજનો, તેમ જ કુરસદના સમયમાં કરાતા કામકાજનો પણ સમાવેશ થાય છે. તે બંને પ્રકારોને છટા પાડવાની આપણી ચાલુ રીતને લીધે, આપણે અત્યારના સામાજિક જીવનના કેટલાક હીનમાં હીન અંશે અસ્તિત્વમાં આવ્યા છે. સમાજનું કામ એ એવી વસ્તુ નથી કે જે સાંજના પાંચ વાગ્યે અટકી જતું હોય અને પાછું બીજે દિવસે સવારે આઠ વાગ્યે શરૂ થતું હેય. રજા કે તહેવારને દિવસે તે મુલતવાઈ રહેતું નથી. તેનું કામકાજ તે સતત ચાલ્યા કરે છે. ઊલટું, જ્યારે દુકાનોનાં બારણાં બંધ થાય છે, અને કારખાનાંના દરવાજાઓને તાળાં વસાય છે, ત્યારે તેની નાડીઓમાં જે જીવન ધબકતું હોય છે, તથા ભાવની દૃષ્ટિએ તેમાં જે અગત્યના મુદ્દાઓ સંડોવાયેલા હોય છે, તે તે દિવસના બીજા કોઈ ભાગમાં દેખાતાં નથી. અત્યારે મારી સામે પડેલી એક જાહેરખબરમાં “સહકારી પદ્ધતિથી રજા કે તહેવાર ભોગવવા માટેના મંડળ” નું નામ છે. એ નામ મને ભારે રહસ્યપૂર્ણ લાગે છે. એમ પણ બને કે, મનુષ્યના પરસ્પર સહકારનું રહસ્ય દિવસના ફુરસદના ભાગમાં જ આપણને પ્રાપ્ત થાય. કામકાજના ક્ષેત્રમાં અસામાજિક વર્તણુકને પાર હોતો નથી, પરંતુ કુરસદના ક્ષેત્રમાં તો તે તેને પણ ટપી જાય છે. પોતાનાં “સુખ” માણતી વખતે જ માણસે એકબીજાને સૌથી કારમું નુકસાન કરે છે, અને જગતને “દુઃખ થી ભરી કાઢે છે. એટલે
સહકારી પદ્ધતિથી રજા કે તહેવારે ભેગવવા માટેનું મંડળ” એ રામરાજ્યનું સારામાં સારું વર્ણન છે. આસુરી રાજ્યમાં દરેક જણ પોતાની રજા પિતાને પડેશીને ભેગે ભેગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org