SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સર્વોદયની જીવનકળા પલટાવી નાખવે, એના કરતાં બીજા કઈ રચનાત્મક કાર્ય કમને હું લક્ષમાં લેવા જે ગણતો નથી. અહીં આગળ પણ કાળભાવનાવાળાની જ બોલબાલા આપણને દેખાશે. સ્થળ ભાવનાવાળો કહે છે કે, “ચાલો આપણે ઘર બાંધીએ; ત્યારે કાળભાવનાવાળે કહે છે, “આપણે એવું ઘર બાંધીએ કે જે કાયમ રહે.” સ્થળભાવનાવાળે કહે છે કે, આ મારી તંત્રવ્યવસ્થા છે.” કાળભાવનાવાળે તેને પૂછે છે કે, “તેને ટકાવી રાખવા માટે જોઈતી વીરતા કે કુશળતા ક્યાં છે?” ને પલયને કહ્યું હતું કે, “દરેક યુદ્ધમાં કાળ એ નિર્ણયક તત્વ છે. અલબત્ત, એ તે સ્થળમાં લડાતાં યુદ્ધોની વાત કરતે હતે. પ્રજાઓના જીવનને જગતના નકશા ઉપરના એક સ્થળગત વ્યવહાર તરીકે વિચારવામાં આવે, ત્યારે એવાં યુદ્ધો ઊભાં થાય છે તથા તે નકશાને મરજી મુજબ બદલવા માટે તે લડવામાં આવ્યાં હોય છે. તેમાં જીતેલા પ્રદેશને કારણે વિજેતાઓને સૂર્યપ્રકાશમાં ધનધાન્યથી ભરપૂર બનેલાં એવાં નવાં સ્થળે પ્રાપ્ત થાય છે; અને એ રીતે જગતને નકશે તેઓ પોતાની મરજી મુજબ આંકી શકે છે. તે પ્રકારનાં યુદ્ધોમાં પણ જો કાળ જ નિર્ણાયક તત્ત્વ હેય; તે એ યુદ્ધ જ્યારે પ્રદેશના વિસ્તાર માટે નહિ, પણ જીવનના ઊંડાણ માટે લડાતું હોય, અર્થાત કાયમી મૂલ્ય માટે માનવ આત્મા દ્વારા લડાતું ઐહિક યુદ્ધ હોય, ત્યારે તે કાળ એ કેટલું મોટું, નિર્ણાયક તત્ત્વ બની જાય? કારણ કે, માનવજીવન એક ગતિશીલ વસ્તુ છે, તેથી નકશા જેવી સ્થિર વસ્તુઓના બંધનમાં તે જકડાતું નથી તેથી જ એલેકઝાંડરના જમાનાથી વરસાઈની સંધિ સુધીના જમાનાઓ દરમ્યાન મોટમોટા વિજેતાઓ અને તેમના નકશા દોરનારાઓએ જગતનો નકશો હંમેશ માટે દેરી લેવાના કરેલા બધા પ્રયત્નોથી પણ (અને ત ત્રવ્યવસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy