________________
સર્વોદયની જીવનકળા ગુડે, (બીજાની હીન પાશવિક વૃત્તઓ ઉપર ગુજારે કરતી) વેશ્યા, અને (વગર મહેનતે માલ ખાઈને સડતો) શ્રીમંત મૂર્ખ –એ બધાં કેણ છે? તેઓ બધાં સમાજના કુશળ કાર્યકર્તાઓ બની શક્યાં હોત, પણ આજે તેઓ પોતાને માટે તથા દુનિયા માટે નાશ પામી ગયા જેવાં છે. કેળવણી-જગતે તે બાબત ઉપર લક્ષ આપવાનું ક્યારનું શરૂ કર્યું છે, મજૂર“જગત” એ બાબત કયારે હાથ ઉપર લેશે?
વધારેમાં વધારે લોકોની વધારેમાં
વધારે કુશળતા જ્યારે ડાં વર્ષ અગાઉ રાજકીય પક્ષ તરીકે મજુર પક્ષ અસ્તિત્વમાં આવ્યું, ત્યારે અમારામાંના કેટલાક જુવાનીના આશાપૂર્ણ ઉત્સાહમાં તેને માટે એવું માનવા લાગ્યા હતા કે, તે ગયા વ્યાખ્યાનમાં સૂચવેલો માર્ગ અખત્યાર કરશે. પરંતુ, તેણે તે જુદો જ માગ સ્વીકાર્યો છે. તે મજૂરના “રાજકીય અને આર્થિક હકો”નો પક્ષકાર બન્યા છે. પરંતુ નવાઈની વાત છે કે, મજૂરના બધા હકોમાં સૌથી પ્રથમ એ જે “ યુઝતાનો ,” તેને વિષે તો તે બેપરવા જ રહ્યો છે. ઔદ્યોગિક સંપત્તિના પાયા તરીકે વૈયક્તિક કુશળતાને બદલે યંત્રની પરિપૂર્ણતાને સ્વીકારવામાં આવી, ત્યારથી મજૂરવર્ગને જે અન્યાય થયો છે, તેને જે માટે અન્યાય હજુ સુધી મજૂરને કદી પણ કરવામાં આવ્યું નથી. અરે, સમગ્ર માનવજાતિ ઉપર, તેનાથી મોટી આફત, અત્યાર સુધીમાં, કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org