________________
કુશળતા
૩
સમાન કક્ષાના બની જાય છે, એવું જે સામાન્ય રીતે મનાય છે, તેના જેવી સત્યથી વેગળી બીજી વસ્તુ નથી. ખલ્કે, વધારે સાચું કહું તે, તે નવા જ પ્રકારની અસમાનતાએ ઊભી કરે છે; કારણ કે, એછા બુદ્ધિશાળી મતદારા તેમના કરતાં વધારે ચાલાક મતદારાની વિવિધ ચાલાકીએ અને છટાદાર વક્તૃત્વને ભાગ થઈ પડે છે. વળી જે જમાના ‘સુખ’ શબ્દના કાળા જાદુ હેઠળ મૂઢ બની ગયા હેાય છે, તે જમાનામાં તેા એ ચાલાકી ઘણી સહેલી બની જાય છે. કારણ કે ‘સુખ’ એ એક જ વસ્તુ એવી છે કે જેની બાબતમાં મનુષ્યા સામાન્ય રીતે સાચા નિણૅય નથી બાંધી શકતા, અને જલદીમાં જલદી ભેળવાઈ જાય છે. જે ક્ષણુથી કેાઈ માનવસમુદાય સામુદાયિક જીવનના ‘ધ્યેય’ તરીકે ‘સુખ’ને સ્વીકારે છે, — અને વીરતા એછી થતી જવાની તે અચૂક નિશાની છે,——તે ક્ષણથી જ ફોસલાવનારાએ! માટે રસ્તા ખુલ્લા થઈ જાય છે, સડા શરૂ થાય છે, અને ભાષણયાને ધાયુ" કરતાં ફાવે છે.
આ વ્યાખ્યાનમાં હું, નાગરકમાં હાવા જોઈતા એક ખીજા ગુણની વાત કરવા માગું છું. તે ગુણુ વીરતાની સાથે ગાઢ રીતે સંકળાયેલે છે; એટલે સુધી કે અમુક વખતે તે તે એક જ વસ્તુના બીજા નામ જેવા જ દેખાય છે, તેનું નામ ‘કુશળતા’ છે. પરંતુ એ ગુણને કળાકારોની કે કારીગર કહેવાતા ખાસ વર્ગની જ ખાસિયતરૂપ ગણવાને નથી; પરંતુ નાગરિકધમ ના અગત્યના અંશરૂપ, કહેા કે, નાગરિકતાના જ એક લક્ષણરૂપ ગણવાના છે.
કૈઇ પણ માણસના ધંધામાં રહેલી કુશળતા ઉપરથી તે માણસને અખત્યાર કરવી પડેલી વીરતાનું માપ પણ નીકળી શકે છે. કારણ કે, પેાતાની કુશળતા પ્રાપ્ત કરવા સારુ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org