________________
કુશળતા આગળના પ્રકરણમાં આપણે જોઈ આવ્યા કે, વીરતા એ સમાજનો મૂળભૂત ગુણ હોવા જોઈએ. એ ગુણ જ નરેગી સામાજિક જીવનની પ્રાથમિક શરત રૂપ ગણાવો જોઈ એ; નહીં કે રેગનિદાન કે પૃથક્કરણની આવડત. જે “સામાજિક તંત્રવ્યવસ્થા” વધારેમાં વધારે માણસની વધારેમાં વધારે વીરતાને પોતાના પક્ષમાં ભરતી કરી શકતી હેય, અથવા તેના વડે ઘેરાયેલી હોય, તે જ સર્વોત્તમ
વ્યવસ્થા કહેવાય. સૌ બાબતોના પાયામાં એ વસ્તુ ન હોય, તે તમારી તંત્રવ્યવસ્થા ભલેને શાસ્ત્રીય રીતે ગમે તેટલી સંપૂર્ણ હશે, તે પણ વહેચવા માટે કશે “આનંદ' તેની પાસે નહીં હોય.
જે આદર્શ સમાજની કલ્પના મારે તમને આપવી છે, તેમાં એ ગુણ અમુક વર્ગ પૂરતો જ – રાજકર્તાઓ અથવા સૈનિકેની જ ખાસ માલકીન – નહીં હોય. મને લાગે છે કે, આ બાબતમાં પ્લેટ તેમ જ એરિસ્ટોટલ બંનેનું વલણ એવી ભૂલ કરવાનું હતું. વીરતા એ તે એક લેક ગુણ છે; આખા જનસમુદાયનું આગળ પડતું લક્ષણ છે. પ્રજાતંત્રનું તે સક્રિય બળ છે. સમાજવ્યવસ્થાને તત્ત્વશુદ્ધ સંપૂર્ણ બનાવવ થી વીરતાની આવશ્યકતા દૂર થવાનું તે ક્યાં રહું, ઊલટું તે તે એ ગુણને વધારેમાં વધારે માગે છે, અને જે તે માગણી પૂરી ન પડે, તે તે સમાજવ્યવસ્થા એકલી કશું પરિણામ નિપજાવી ન શકે; અથવા કહે છે, તેથી પણ ભૂંડું પરિણામ નિપજાવે.
સ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org