________________
સર્વોદયની જીવનકળા ગમે તેટલે મેટે પગાર કે રેજી આપવા છતાં માણસોને ન લેભાવી શકીએ, તે બધું અન્ન-વસ્ત્ર અને દિવસના છેડા શિલિંગના પગારમાત્રથી લશ્કરનાં માણસો દ્વારા શી રીતે કરાવી શકાય છે? એકદિલી, એકસંપી, બિરાદરી, તત્પરતા, કાર્યકુશળતા, શિસ્ત, અને પિતાના કર્તવ્ય પ્રત્યે વફાદારી– આ બધી વસ્તુઓ શું લશ્કરે અને નૌકાસૈન્યમાં જ જરૂરી છે? નાગરિક જીવનમાં તેમને માટે સ્થાન નથી કે તેમની જરૂર નથી? લશ્કરી અને નૌકાસૈન્યની તાલીમ આપવાની કલેજે જ પોતાના ધંધાની ઉમદા પરંપરાઓનાં મૂળ નાખી શકે? સામાન્ય વિશ્વવિદ્યાલય અને પ્રાથમિક શાળાઓમાં તે વસ્તુ અસ્થાને છે શું? કોઈ માણસ કોઈ ધંધામાં કે કોઈ ઉદ્યોગમાં, લશ્કરમાં ભરતી થતા માણસની પેઠે એવા ખ્યાલથી જોડય કે મારા માથા ઉપર જે વાવટો ફરકી રહ્યો છે તેને મારે બદ્દી લગાડવાનો નથી, કે ઉત્તમતાના અમુક ધરણથી નીચે મારે કોઈ પણ કારણે ઊતરવાનું નથી, તો તે શું અકલ વગરની વાત થઈ ગણાશે? જુવાન સ્ત્રી પુરુષો પોતાના ધંધામાં જોડાય ત્યારે પિતાને gay s[ તછે ભરતી થવા માને, તે તે શું હાસ્યાસ્પદ કહેવાય? દરેક ધંધાને પોતાને અણનમ ઝંડે ન હોવો જોઈએ? લશ્કરી જીવનમાં જે “આકર્ષક પગારની” લાલચ બિલકુલ આવશ્યક નથી, તે નાગરિક જીવનમાં શા માટે મનાવી જોઈએ? કાલોઈલે આ પ્રશ્નો ઘણા વખત પહેલાં પૂછયા હતા, પણ હજુ તે અનુત્તર પડેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org