SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસાનાણી શ્રીપાલ્વનાથજી અતિશયા સમધી અને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના સબંધી સ હકીકત કહી મતાવી. પછી શ્રી જિનાકત વિધિવડે તે તીર્થંકરની પ્રતિમાની તેણે પ્રતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદત્ત પાર્શ્વ પ્રભુની પાસે જ દીક્ષા લીધી. પછી સુર અસુરે એ સેવાતા અને સ અતિશયવડે સપૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નાગપુરીમાં નાગેન્દ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા. તે રાજાને ઘણા પ્રિય હતા. તેને ઘેર સુંદરી નામે એક શીલવડે સુંદર સ્રો હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળા મદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતા. તે અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા. તે સમયે વત્સ નામના વિજયમાં કૌશાંબી નગરીને વિષે શત્રુઆનું માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જિનધર્મમાં તત્પર જિનદત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતા હતા. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેએને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની રાખી હતી. તે જૈનધર્મમાં લીન હતી. તે બન્ને સખીએ દેવપૂજા, ગુરુની ઉપાસના અને ધર્માખ્યાન વગેરે કૃત્યેાવડે જ દિવસેા નિર્ગમન કરતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy