SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ge પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી જળની ઊંચાઈ જેવડા લાંખા નાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઇને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. જીએ મુખ પૃષ્ઠનું ચિત્ર. ભક્તિભાવ સુકત ચિત્તવાળી ધરણેન્દ્રની સ્ત્રીએ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણું વીણાના તાર ધ્વનિ અને મૃદંગના ઉદ્ધૃત નાદ વિવિધ તાળને અનુસરતા વૃદ્ધિ પામવા લાગ્યા અને વિચિત્ત ચારૂં ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજ્જવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થએલા પ્રભુ નાગાધિરાજ ધરણેદ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વષતા એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણેદ્ર કાપ કરી આક્ષેપથી એલ્યા કે: “અરે દુર્મતિ ! પેાતાના અનર્થને માટે તું આ શું આરભી બેઠો છે? હું એ મહાકૃપાળુને શિષ્ય છું; તથાપિ હવે હું સડુન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી મળતા સર્પને મતાવીને તને ઊલટા પાપ કરતાં અટકાવ્યા હતા; તેથી તેમણે તારો શે। અપરાધ કર્યા ? અરે મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનુ જળ પણ જેમ લવણ (મીઠુ)ને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વેરને માટે થયા છે. નિષ્કારણબંધુ એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શસ્ત્ર થઇને તે જે આ કાર્ય આરજ્યું છે તે હવે દૂર કરી દે; નહીં તે હવે તું આ સ્થિતિમાં રહી શકીશ નહીં. ” ધરણેદ્રના આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી ષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્રે સેવિત શ્રીપાર્શ્વનાથ પ્રભુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy