SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પs = પાણિગ્રહણ ભય પામેલા એવા મને અભય આપો.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ બેલ્યા કે: “હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ, ભય પામે નહીં, પોતાનું રાજ્ય સુખે પાળે, પણ ફરી વાર હવે આવું કરશે નહીં.” પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાગતુ એમ કહેતા યવનરાજને પ્રભુએ સત્કાર ક્યો. “મહાજનોના પ્રસાદદાનથી સર્વની સ્થિતિ ઉત્તમ થાય છે.” પછી પ્રસેનજિત રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેઇન (ઘેરે) રહિત થયું, એટલે પુરૂષોત્તમ પાર્વકુમારની આજ્ઞા લઈને નગરમાં ગયો. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધો વૃત્તાંત સંભળાવ્યું. આખા નગરમાં હર્ષના છત્રરૂપ મહોત્સવ પ્રવર્યો. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગે કે: “હું સર્વથા ભાગ્યવાન છું અને મારી પુત્રી પ્રભાવતી પણ સર્વથા ભાગ્યવતી છે. મારા મનમાં આ મનોરથ પણ ન હતો કે સુરાસુરપૂજિત પાવનાથકુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઈને હું ઉપકારી એવા પાર્વકુમારની પાસે જાઉં.” આ પ્રમાણે વિચાર કરો પ્રસેનજિતુ રાજા પ્રભાવતીને લઈને હર્ષિત પરિવાર સહિત પાકુમારની પાસે આવ્યા અને પ્રભુને નમસ્કાર કરી અંજલિ જેડોને બોલ્યા: “હે સ્વામિન! તમારું આગમન વાદળાં વગરની વૃષ્ટિની જેમ ભાગ્યચોગે અચાનક થયું છે. તે યવનરાજ મારે શત્રુ છતાં ઉપકારી થો કે જેની સાથેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy