SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી લક્ષ્મણ ઉત્પન્ન થયા આ વખતે ત્રિખંડાધિપ પ્રતિ વિષ્ણુ રાવણની આજ્ઞા જગતમાં દુર્લધ્ય મનાતી એવા સમર્થ રાવ ની બુદ્ધિમાં વિપર્યાસ થયો અને રામ લ૯મણ વનમાં ગયા ત્યારે સીતાજીનું છળ પ્રપંચથી હરણ કરી રાવણ તેમને લંકામાં ઉપાડી ગયા. તે વખતે સૈન્ય સહિત રામ લક્ષ્મણ લંકાની આસપાસ વીંટાએલા સમુદ્રના કિનારે આવ્યા આ સમય આજથી અંદાજે સાત લાખ વરસ અથવા તો તેની આસપાસને હશે એમ અનુમાન થાય છે પણ વધારે ફરક નથી. મહા ભયંકર સમુદ્રને જોઈ રામ બંધુ લમણ સહિત વિચારમાં પડયા કે સકલ સિન્ય સહિત આ સમુદ્રની પાર આપણે કેવી રીતે ઉતરવું! એમ વિચાર કરતાં ત્યાં પડાવ નાખી આસપાસ જોતાં સમુદ્રના કિનારા ઉપર નજીક પાર્વ નાથજીનું ભવ્ય મંદિર તેમના જેવામાં આવ્યું. આવા નિર્જન પ્રદેશમાં ભગવંતનું આવું અપૂર્વ ચૈત્ય જોઈ તેમને (બંને બાંધને) હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ, બંને બાંધવ ભગવં. તનાં દર્શન કરી તેમની અલૌકિક પ્રતિમા જોઈ પ્રસન્ન થઈ તેમની આરાધના કરવાને તૈયાર થયા પછી રામ લક્ષ્મણ બંને બાંધવાએ ભગવંતની સેવા, ભક્તિ, ધ્યાન, તપ જપથી આરાધના કરવા માંડી અને ભગવંતને અરજ કરી કે “હું વિવ વત્સલ! હે વિવ વંદ્ય! તમારા પ્રભાવ થકી આ સમુદ્રનું જલ થંભી જાવ ! કે જેથી અમે તેની ઉપર પાજ બાંધી લંકામાં જઈ રાવણને જીતી સીતાજીને છોડાવીએ આવી રીત અભિગ્રહ કરી બંને બાંધવ (રામ લમણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy