SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી આ દેરાસરની પ્રતિષ્ઠાની પ્રાચીનતા વિષે શ્રી લાવણ્યસમય મહારાજે સંવત ૧૫૬૨ માં સ્તવન રચ્યું છે તે ઉપરથી સમજાય છે. તેમજ સમયસુંદરે રચેલું તીર્થમાળાનું સ્તવન તેમાં સેરોસરે શંખેસ એ પાઠ છે તેમજ તેમને રચેલે ચાર પ્રત્યેક બુદ્ધને રાસ તેમાં પણ તેમની વ્યાખ્યા છે. ઉપદેશ તરંગિણી સંસ્કૃતમાં છે. તેમાં પણ સેરીસરાની વ્યાખ્યા છે. તેમજ તીર્થકલ્પમાં પણ તે સંબંધી હકીકત છે. હાલ કલોલ સ્ટેશનથી બે ગાઉ દુર સેરીસા ગામ છે. બીજી પદ્માસને પાષાણની, આરસન, તથા અંબિકાદેવી વગેરેની પ્રતિમાઓ, ખંડેરમાંથી નીકળેલી તે ગામમાં પધરાવેલી હતી. તે દેરાસરનું ખંડેર બદાવી તેનો ઉદ્ધાર કરવામાં આવ્યું છે. - શ્રીમદ વિજયનેમિસૂરિના ઉપદેશથી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ આ દેરાસરને ઉદ્ધાર કરવા માંડેલ હતું. પરંતુ શેઠ સારાભાઈનું અચાનક અવસાન થવાથી દેરાસરનું બાકી રહેલું કાર્ય અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પુરૂં કરાવેલ છે. હાલમાં વહીવટ પણ પેઢીને જ છે. - શ્રીસોગટીયા પાર્વનાથજી. (૭૨) નાડલાઈમાં સોગટીયા પાર્શ્વનાથ તથા જીરાવલા પાન નાથનું દેરાસર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy