________________
શ્રીસુરજમડન પાર્શ્વનાથ
૧૮૩
વરાડ દેશમાં એલીચપુરથી સાત ગાઉ નુક્તાગીરી નામે પહાડ છે, તેની ઉપર શામળા પાનાનુ` મેટું દેરાસર છે. પ્રતિમાજી શ્યામરગે શા ફુટ ઊંચી પદ્માસનવાળી ફણા સહિત છે. સંવત ૧૯૩૨ સુધી તે તીર્થ શ્વેતાંબરના કબજામાં હતું. તે વખતે કૅનેર ગામના રહીશ ઓશવાલ માણેકજી ડાહ્યા શ્વેતાંબરી તેના વહીવટ કરતા હતા. તેઓના વંશજો અતુલ જીલ્લે અન્નાર ગામમાં હાલ વસે છે. આ તીર્થ હાલમાં દીગ’ખરાના કબજામાં છે. આ તીર્થ ખાસ દર્શન કરવા લાયક છે.
શ્રીસુરજમંડન પાર્શ્વનાથજી,
(૯)
પ્રખ્યાત સુરત નગરમાં ગેાપીપુરામાં સૂર્ય મંડન પાર્શ્વનાથની ઘણી મનેાહર સાડા ચાર ફુટ ઉંચી સફેદ પાષાણની પ્રતિમા ડાહ્યાભાઈ વકીલના ઘરની જોડે ખાંચામાં ભોંયરામાં બિરાજમાન છે. એક વખત સુરતમાં શાંતિદાસ શેઠ તિ મહારાજની ઘણીજ ખાતર અરદાસ્ત કરતા ને રૂપૈયા ચાર પાંચ હજાર તેમના વતી ખરચ પણ કરેલે હતા. તેથી યતિજી પ્રસન્ન થયા હતા. તે વખતે શેઠ શાંતિદાસ ઝવેરાતના ધંધા કરતા હતા. શેઠને યતિજીએ કહ્યું કે તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે. તેા તેના બદલે આપવાની મારી ઈચ્છા થઇ છે. જેથી હું સુરજમંડનપા - નાથના ભેાંયરામાં છ માસ સુધી બેસીને મંત્રની સાધના કરીશ. તમે રાજ એક માણસ સાથે પાંચશેર દૂધ તથા
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org