________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી વાને માટે આશ્રય આપો.”
કમઠે નિ:શંકપણે તેને રહેવાને પોતાના જ મકાનને બહારને ભાગ બતાવ્ય; એટલે તેણે કપટનિદ્રાવડે સૂઈને જાળીએથી તે અતિ કામાંધ સ્ત્રીપુરુષનું દુષ્ઠિત જોયું.
આજે મરભૂતિ ગામ ગએલ છે” એમ ધારીને તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિઃશંકપણે ચિરકાળ કામક્રીડા કરી.
જે જોવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ લેકાપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરુદ્ધ કાર્ય કર્યું નહીં.
પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનાર રાજાએ આરક્ષકોને આજ્ઞા કરી કે: “પુહિતપુત્ર કમઠ મહાદુરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણા સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.”
રાજાને આ પ્રમાણે આદેશ થતાં આરક્ષકોએ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી, ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતાં, આખા નગરમાં ફેરવી, તેને નગર બહાર કાઢી મૂક્યો.
નગરના લેકે દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલ કમઠ કાંઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org