________________
શ્રીપાર્થપ્રભુને વિહાર અને નિર્વાણ
૧૦૫ આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સંન્યાસીને છે મૂકો. પછી પેલા મામા ભાણેજને યાદ કર્યા અને ચિંતવ્યું કે “જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે. પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શકયા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરી વાર પૂછવું.'
પછી મંત્રીએ તેમને બેલાવી અભય આપીને પૂછ્યું; એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા અને તેઓને ખમાવ્યા.
પછી ત્યાંથી છૂટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા; એટલે ત્રીજે જ દિવસે પેલા ચંડસેનના પુરુષો જે બળિદાનને માટે પુરુષોને શોધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બળિદાન માટે તેઓ લઈ આવ્યા.
પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યા. તે વખતે
આ ભયંકર દેવીને જેવાને વરિફ સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ” એવું ધારી ચંડસેને પ્રિયદર્શનાનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં.
પછી ચંડસેને પોતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરૂષને લાવવા સેવકને કહ્યું. દેવગે પ્રથમ બંધુદને જ લાવવામાં આવ્યા. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી, રક્તચંદનનું પાત્ર હાથમાં આપી, ચંડસેને પ્રિયદર્શનાને કહ્યું કે “દેવીની પૂજા કરે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org