________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ પછી પવાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે “જે આ મારી બેન પ્રિયદર્શના પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરુષનું બલિદાન આપીશ”
પછી જ્યારે પ્રિયદર્શનને કુમાર સાથે કુશળતાથી પચીશ દિવસ વ્યતીત થયા ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન ચગ્ય પુરૂષને પકડી લાવવા પુરૂષોને મોકલ્યા.
અહીં બંધુદતે પોતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિર્ગમન કર્યા. તેવામાં એક દિવસે રાજસુભટોએ રાત્રિએ મોટા સપને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસોને પકડ્યો અને તેને બાંધીને મંત્રોને અર્પણ કર્યો.
સંન્યાસીની પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી હોય? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચાર છે? એટલે તેને મારી નાખવાનો હુકમ કર્યો.
જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા ત્યારે તેને પશ્ચાતાપ થયો અને તેણે વિચાર્યું કે “મુનિનું વચન અન્યથા થતું નથી.” આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે: “મારા વગર કોઈએ આ શહેરમાં ચોરી કરી નથી. મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વગેરે ભૂમિમાં ચેરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હાયતે ત્યાંથી લાવીને તેની થાપણ મૂકી હોય તેમ પાછું મેંપી દે અને પછી મને શિક્ષા કરો.”
રક્ષકએ આવીને તે ખબર મંત્રીને કહા, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org