________________
છેવ પ્રથમ આપણને સાંભળીને બંધુત્તે પેલા છે
શ્રી પાર્શ્વપ્રભુને વિહાર અને નિર્વાણ
એટલે તેને ઓળખીને ધનદત્ત બે કે “અરે ! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયે?” પછી બંધુદત્તે પિતાને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તે સાંભળીને ધનદત્ત કહ્યું કે : “હે વત્સ ! પ્રથમ આપણે ભિલ્લ લોકો પાસેથી પ્રિયદનાને છોડાવી, પછી બીજું કામ કરશું.”
આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માત રાજાના સુભટ હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેઓ ત્યાં રહેલા હતા તે સર્વને તસ્કર જાણને પકડ્યા.
ધનદત્ત અને બંધુદત્ત પેલે કરંડીઓ કઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષે તેમને પકડયા અને “આ શું છે? ” એમ પૂછ્યું, એટલે તેમણે કહ્યું કે “તમારા ભયથી અમે આ અમારું દ્રવ્ય ગાવતા હતા.”
પછી રાજ સુભટો તે કરંડોઆ સહિત તેમને તથા બીજા મુસાફરોને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઈ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણે છેડી મૂક્યા.
પછી આ મામા ભાણેજને આદરથી પૂછયું કે : “તમે કોણ છે? કયાંથી આવે છે? અને આ શું છે?”
તેઓ બેલ્યા કે –“અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂં પ્રથમનું જ ઉપાર્જન કરેલું છે તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ.” - મંત્રીએ કહ્યું કે: “જે આ દ્રવ્ય તમારૂં હોય તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org