SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન ચિત્ર-ક૯૫લતા વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવીને તે આશ્રમમાં પાંચસો તાપસનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલે બધે મોહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઇ ફળ-ફૂલ તોડે તો તે જ વખતે ક્રોધે ભરાઈ કુહાડો લઈને મારવા દોડે. એક વખતે તે તાપસ થોડા રાજકુમારોને પોતાના આશ્રમના ભાગમાંથી ફળ તોડતાં જોઈ ક્રોધે ભરાયો. કુહાડે લઇ મારવા ધસી જતા હતા, એટલામાં અચાનક કુવામાં પડી ગયો અને ક્રોધના અધ્યવસાયથી ભરીને તે જ આશ્રમમાં પિતાને પૂર્વભવના નામવાળી દષ્ટિવિષ સર્ષ થયો. મહાવીર પ્રભુ તો આશ્રમમાં આવીને કાઉસગ્ગધ્યાને સ્થિર રહ્યા. પ્રભુને જોઇ ધથી ધમધમી રહેલો તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુની તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલે છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા ફેકવા માંડી. તથાપિ એ જવાળાઓ પ્રભુને તે જળધારાઓ જેવી લાગી ! ત્રણ વાર દષ્ટિવાળા છોડવા છતાં પ્રભુનું એકાગ્ર ધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયો. તેણે પ્રભુને એક સખ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તીવ્ર વિષનો પ્રતાપ એટલે ભયંકર છે કે પ્રભુ હમણાં જ મૂછિત થઈને પૃથ્વી ઉપર પડવા જોઈએ. પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું. ઉલટું દંશવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી. વિસ્મય પામેલો ચંડકૌશિક સર્પ થાડી વાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં ૧૮ ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે “હે ચંડકૌશિક ! કંઇક સમજ અને બુઝ-બોધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર તે કરી જ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પોતાના પૂર્વ ભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું. તે પિતાના ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણ આપતો તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ કણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિ રૂપ મોટી ખાઈમાં પડતો બચાવી લીધો. તે જ વખતે તેણે અનશન વ્રત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર દૃષ્ટિ કોઈ સંદેષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પિતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું. આ પ્રસંગને મળતા જ કૃષ્ણના જીવનનો એક પ્રસંગ એક વખત એક વનમાં નદીકિનારે નન્દ વગેરે સૌ ગેપ સૂતા હતા, તે વેળા એક પ્રચંડ અજગર આવ્યો. પૂર્વ જન્મમાં તે વિદ્યાધર હોઈ પોતાના રૂપના અભિમાનથી મુનિનો શાપ મળતાં અભિમાનના પરિણામ સ્વરૂપે સર્પની આ નીચ નિમાં જન્મ્યો હતો. તેણે નન્દનો પગ ગ્રા. બીજા બધા ગોપબાળકોને સર્ષના મુખમાંથી એ પગ છોડાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો ત્યારે છેવટે કુણે આવી પિતાને ચરણથી એ સર્પ સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં જ એ સર્ષ પિતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયો. ભક્તવત્સલ કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગયે. --ભાગવત દશમ ઉધ, અ૦ ૩૪, ૦ ૫-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮. ૧૮ આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉળવેલામાં (ભગવાન) બુદ્ધ એકવાર ઉળવેલકાસ્ય નામના પાંચસો શિષ્યવાળા જટિલની અગ્નિશાળ માં રાતવાસે રહ્યા ત્યાં એક ઉગ્ર આશીવિષ સ રહેતો હતો. બુદ્ધ તે સપને જરાપણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા ધ્યાન સમાધિ આદરી, સર્ષ પણ પિતાનું તેજ પ્રકટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્વજને પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પિતે નિતેજ કરેલો સંપ બતાવ્યુંએ જોઈ એ જટિલ બુદ્ધને પિતાના શિષ્યો સાથે ભક્ત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy