________________
તા. ૫-૧૧-૫, રવિવાર
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના આત્મિક કલ્યાણ માટે અસંખ્ય યોગોનો પ્રબોધ કરનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ધ્યાનયોગ - પૂર્વભૂમિકા:
જૈન શાસનમાં આરાધના માટે અસંખ્ય યોગો છે અને બધા યોગોનું વર્ણન ૧૪ પૂર્વપર્યત દ્વાદશાંગીમાં છે. પણ સંક્ષેપમાં જો વિશ્લેષણ કરીએ તો ભક્તિયોગ, કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને ધ્યાનયોગ આમ ક્રમસર યોગો બતાવ્યા છે, અને તે બધામાં પણ ટોપ લેવલમાં ધ્યાનયોગ છે. દરેક સાધનામાં અંતિમ ચરણમાં ધ્યાનયોગ છે. તેની સામે બીજા બધા નાચીઝ યોગ છે. આ ધ્યાનયોગ દ્વારા બધાં કર્મોને ખપાવી શકાય છે. ઉગ્રમાં ઉગ્ર કર્મને ખપાવવાની ક્ષમતા ધ્યાનયોગમાં છે. મનનું અંતે મારણ આ ધ્યાનયોગમાં જ થાય છે. અનંત કાળના જામેલા મોહનો ઉચ્છેદ કરીને છેલ્લે અમનસ્કદશાને પમાડી શકવાની તાકાત આ ધ્યાનયોગમાં છે.
આપણે મનની અશુદ્ધિઓ જાણી, તેની સામાન્ય સંશોધનની પ્રક્રિયા પણ જાણી; પણ મનની ટોપ લેવલની શુદ્ધિ માટે સાધન તરીકે ધ્યાનયોગ જ છે અને આ જ અંતિમ રાજમાર્ગ છે. જે જીવો શુક્લધ્યાનના પાયામાંથી પસાર થાય તે જ મુક્તિને પામે છે. આઠમા ગુણસ્થાનકથી આરંભીને ઉપરની બધી ભૂમિકા ધ્યાનથી જ પામી શકાય છે. તેથી શાસ્ત્રમાં ધ્યાનનો મહિમા ખૂબ જ ગાયો છે.
યોગના ક્રમમાં પહેલાં ભક્તિયોગ, પછી કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને પછી ધ્યાનયોગ આવે છે. કર્મયોગનું વર્ણન આચારરૂપે અધ્યાત્મમાં આવે છે. સાધુક્રિયા પણ કર્મયોગમાં આવે. શાસ્ત્રયોગમાં બહોળું શાસ્ત્રજ્ઞાન જોઇએ. જ્ઞાનયોગ પામેલાને સામ્યયોગ આવે અને પછી ધ્યાન આવે છે. ટોપમાં ધ્યાન યોગ છે. અત્યારે જે બધા ધ્યાન કરે છે તે પ્રેક્ટીસ કરે છે એમ કહેવાય. કારણ ઉપર બતાવેલાં બધાં સ્ટેપ ક્રમશઃ પસાર કર્યા પછી જ નિર્મળ ધ્યાનયોગ આવે છે. મનોવિજય અને આત્મશુદ્ધિ
*
* * * *
* * *
* * *
* *
* *
*
* * * *
* *
* *
*
*
* * *
*
* *
* * *
*
* * *
* *
* * *
* * * * ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org