________________
હજારોને છેતરવાથી કેવા પાપ બંધાશે તેનો કદી વિચાર કર્યો નથી. અત્યારે તમે થપ્પડ મારીને ગાલ લાલ રાખો છો. પણ તમારી પાસે છે તેટલું સ્ટેટસ જોઇએ છે, કે તેનાથી વધારે સ્ટેટસ જોઈએ છે? જેટલા સુખી છો તેનાથી વધારે સુખી હોવાના ડોળ કરો છો, પણ આ બધા અશુભ ભાવો છે. આવા બધા જુઠાણાથી બીજા તેમાં ભરાઈને પાયમાલ થઈ જતા હોય છે. - અતિચારમાં બોલો છો ને કે, “રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ-પરિવાર વાંછી, એકને મૃત્યુ-હાનિ વાંછી.” લાગણી હોય તેના માટે સારા અભિપ્રાય આપો અને દ્વેષ હોય ત્યાં તેને ગમે તે રીતે પાયમાલ કરી નાંખો. આવી બધી પ્રવૃતિઓ અશુભલેશ્યામાં હોય છે અને આવી બધી મનોવૃત્તિવાળા જીવો માટે શુભલેશ્યાનો ચાન્સ નથી, તેથી તેને શુભધ્યાનની પણ તક નથી.
૧૮૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org