________________
સાહેબજી:-ચોથા ગુણસ્થાનકે સ્થિતપ્રજ્ઞદશા આવી શકે, પણ છઠ્ઠા ગુણસ્થાનક કરતાં નીચલી ભૂમિકાની હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે પણ સંયોગોની-નિમિત્તોની અસર થાય તેવું નબળું મન હોઈ શકે. માટે તેમને નિરતિચાર દશા પામવાની બાકી હોય છે. કોઈ જીવો અધ્યાત્મની ઉપરની કક્ષાએ પહોંચવા માટેના અનિવાર્ય ગુણો કેળવી લે છે, પરંતુ પૂરક ગુણો કેળવવાના બાકી હોય છે. જયારે બીજા જીવો એવા પણ હોય છે કે જેમણે પૂરક ગુણોનો અઢળક વિકાસ કર્યો હોય પણ ઉપરની કક્ષાના અનિવાર્ય ગુણો ન પામી શક્યા હોય, તેથી તેમનું અધ્યાત્મિક સ્તર નીચું હોય છે. તેથી છઠ્ઠા ગુણસ્થાનકે આર્તધ્યાનદશા હોઇ શકે અને ચોથા ગુણસ્થાનકે પણ કોઈને સ્થિતપ્રજ્ઞદશા હોઈ શકે છે અને આર્તધ્યાન દશા પણ હોઈ શકે છે.
સભા:- તેમાં પ્રતિબંધક કર્મ કર્યું?
સાહેબજી:- મોહનીયકર્મથી અશુભભાવો થાય છે. જ્ઞાનાવરણીયકર્મનું કામ અજ્ઞાની બનાવવાનું, અંતરાયકર્મનું કામ બીજા બધામાં વિક્ષેપ કરવાનું, પણ સીધા અશુભભાવ પેદા કરવામાં તો મોહનીયકર્મ જ છે.
શુભલેશ્યા માટેની યોગ્યતા:
અમારું મન પણ ચોવીસે કલાક શુભભાવમાં નથી, અશુભભાવો પણ હોય છે. પણ એટલે કાંઈ ચોવીસે કલાક અમને વિષયવાસના સતાવતી નથી, સત્તા કે સંપત્તિ જોઇને કાંઇ અમને મનમાં ગલગલિયાં થતાં નથી હોતાં. આ તો અમે બધું છોડીને આવ્યા છીએ. માટે અમને ઘણા અશુભભાવોથી મુક્તિ મળી ગઈ છે. જેમ તમને ગાડીમાં બેસતા જોઈએ ત્યારે અમને થાય કે હાશ, અમે તો આવા પાપોમાંથી છૂટ્યા છીએ; પણ હજુ અમને થોડી ઘણી સુખદુઃખની અપેક્ષા હોય છે. માટે પ્રકૃતિમાં કઈ કક્ષાના અશુભ ભાવો હોય તો શુભલેશ્યા ટકી શકે અને કઈ કક્ષાના અશુભભાવો હોય તો શુભલેશ્યા ભાગી જાય, તેનું પૃથક્કરણ કરવું પડે.
દા.ત. તમને જીવનમાં સગવડ જોઈએ છે, મેળવવા ઈચ્છો છો, મળે તો તમે રાજી; પરંતુ તે મેળવવા “બીજાનું જે થવું હોય તે થાય, મને સગવડતા મળવી જોઈએ, બાકી બીજા જાય જહન્નમમાં” આવી વૃત્તિવાળા જીવો શુભલેશ્યા પામી શકતા નથી. તેમની પ્રકૃતિમાં એટલો સ્વાર્થ છે કે ક્યારે તે વિશ્વાસઘાત-છેતરપીંડી કરશે તે કહેવાય નહિ. કારણ “મારે ગમે તે રીતે સગવડ જોઈએ, કોઇપણ હિસાબે તે મળવી જ જોઇએ” તે માટે બીજાનું શું કરવું તેમાં તેમને કોઇ લિમિટ નહિ.
૧૮O
મનોવિજય અને આત્મશુદ્ધિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org