________________
સભા - નાના નાના ખરાબ વિચારો આવી જાય છે.
સાહેબજી:- નાના ખરાબ વિચારોનો અર્થ શું? જેમ તમે બેઠા છો, ગરમી છે એટલે અકળામણ થાય છે, માટે જરા ઠંડક થાય તો સારું, લાવો બારી ખોલીએ, આવું કંઇપણ મનમાં થાય એટલે અપેક્ષા આવી, માટે અશુભભાવ પેદા થયો કહેવાય. કોઇનું લૂંટી લેવું, વિકારો કે વાસનાના વિચાર આવવા તે જ ખાલી અશુભભાવ છે તેવું નથી, પણ કોઇપણ પ્રકારની અપેક્ષા આવી એટલે અશુભ ભાવ જ થયો કહેવાય.
જેમ ખાતાં સ્વાદિષ્ટ વસ્તુમાં રસ આવ્યો એટલે અશુભભાવ આવ્યો કહેવાય. પરંતુ અશુભભાવથી સંપૂર્ણ મુક્ત ક્યારે થવાય? કે જયારે સુખની કોઇ અપેક્ષા ન હોય અને દુઃખની જરાપણ નારાજગી ન હોય ત્યારે. આવા જીવો સ્થિતપ્રજ્ઞ હોય છે. આવા જીવો પર સંપત્તિનો વરસાદ થાય કે દુ:ખોની ઝડી વરસે પણ તેમને કાંઈ અસર ન થાય. પણ જેને જરાજરામાં અસર થાય છે તે તો અશુભભાવમાં જ છે. આપણે બધા ૨૪ કલાકમાંથી એક સેકન્ડ પણ આવા અશુભભાવથી મુક્ત નથી. આપણને ચોવીસે કલાક અમુક પ્રકારના સુખની અપેક્ષા તો ખરી ને? રહેવા ઘર જોઇએ, તેમાં પણ કેટકેટલી સગવડ જોઇએ. જે મળી છે તે બધી ઓછી લાગે છે. માટે જાગતાં, ઊંઘતાં, બેસતાં, ઊઠતાં બધી અપેક્ષાઓ છે જ.
તમને કેટલાંય દુઃખ ન આવે તો સારું તેવી ઇચ્છાઓ ને કામનાઓ પડી જ છે. મોટા રોગો ન આવે તો સારું તેવી ઇચ્છા હોય છે ને? કોઇને આવા મોટા રોગો આવ્યા હોય તેનું વર્ણન સાંભળો ત્યારે શું થાય છે? બાપા, આપણને આવું ન થાય તો સારું. માટે હજારો પ્રકારનાં દુઃખન આવે તેની અંદર કામના પડી હોય છે અને જેટલાં પણ સુખો છે તે બધાં મને મળે અને મળેલાં સુખો જળવાઈ રહે તો સારું, આ બધા આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પો મનમાં પડ્યા છે. જીવને અનુકૂળતાના સંયોગની અપેક્ષા અને પ્રતિકૂળતાના વિયોગની અપેક્ષા છે તેથી ચોવીસે કલાક આર્તધ્યાનની ભૂમિકાવાળું તેનું મન છે. તમને ચોવીસે કલાક રૌદ્રધ્યાન છે તેવું નથી, આર્તધ્યાનની ક્ષણો પણ જીવનમાં લગાતાર ઓછી હોય છે, પણ તેના સંકલ્પવિકલ્પમાં જ મન રમતું હોય છે.
છઠું ગુણસ્થાનક પામેલા જીવ પણ જો નિરતિચાર ભૂમિકામાં ન હોય તો પ્રાયઃ કરીને તેમને પણ આર્તધ્યાન હોઈ શકે પણ સ્થિતપ્રજ્ઞદશા આવે એટલે આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પો ભાગી જાય. પણ અત્યારે તો જરાક દુઃખ આવે છે તો ઊંચાનીચા થઈ જવાય છે.
સભા:- ચોથા ગુણસ્થાનકે સ્થિતપ્રજ્ઞદશા પમાય?
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org