SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું કે “અશુભધ્યાનમાં અશુભલેશ્યાનો સંભવ છે, પણ એકાંત નથી; જ્યારે શુભધ્યાન તો તેને જ હોય કે જેને શુભલેશ્યા હોય.” તેથી શુભધ્યાન પામવા માટે શુભલેશ્યા પામવી જ પડે. આપણે જીવનમાં શુભધ્યાનના માર્ગે જવું હોય, અથવા તેના દ્વારા ચિત્તશુદ્ધિ કરવી હોય, તો બેકગ્રાઉન્ડ તરીકે શુભલેશ્યા કેળવવી પડે. તે નહિ આવે ત્યાં સુધી શુભધ્યાન દીવાસ્વપ્ર જેવી વાત બનશે. અત્યારે શુભધ્યાન માટે ઘણી જ ગેરસમજો છે. ખાલી પલાંઠી વાળીને બેસી જઈએ અને ચિંતન કરીએ એટલે શુભધ્યાન આવી જતું નથી. સામાન્ય રીતે મન જે શુભ પ્રવૃત્તિ કરતું હોય તેમાં એકાકાર બને, ત્યારે શુભ સંકલ્પ આવે, શુભ વિચાર આવે, પણ તે તરત શુભધ્યાન બની જાય તેવું નથી. પલાંઠી વાળી નવકારના અર્થનું ચિંતન કરીએ કે પરમાત્માની મૂર્તિ સાથે લયલીન બની બેસી જઇએ કે આત્મસંબંધી ચિંતન કરીએ એટલે ધ્યાન આવી જતું નથી. તેમાં શુભ ચિંતન, શુભભાવનાઓ થાય, પણ તે ધ્યાન માટેનું સ્ટેજ નથી. જેમ એક વ્યક્તિ પરમાત્માની ભક્તિ બહુ જ લયલીન થઈને કરે છે. પણ જો તેનો સ્વભાવ સ્વાર્થી હોય, જેમ કે ધંધામાં તેને સ્વાર્થ આવે તો સામી વ્યક્તિને ગમે તેટલું નુકસાન થાય તે જોવા પોતે તૈયાર ન હોય, અને પોતાના લાભ માટે ગમે તે કરવા તૈયાર હોય, તો તે વ્યક્તિની લેશ્યા અશુભ જ ગણાય. તે સારા વિચારોમાં તલ્લીન થાય, પણ તેને શુભધ્યાન આવવાની તો કોઈ જ શક્યતા નથી. અશુભલેશ્યાનું શુભલેશ્યામાં સંક્રમણ નથી થતું, ત્યાં સુધી શુભધ્યાન શક્ય નથી. શુભલેશ્યા એ જૈનદર્શનનો આગવો વિષય છે. દુનિયાના ધર્મશાસ્ત્રમાં ક્યાંય આ વાત આવતી નથી. જૈનશાસ્ત્રમાં દુનિયાના તમામ જીવોની પ્રકૃતિનું ક્લાસીફીકેશન કરીને મૂક્યું છે. લબ્ધિમનનું-પ્રકૃતિનું સુંદર વિશ્લેષણ લેશ્યા દ્વારા જૈનદર્શન કર્યું છે. જૈનધર્મની સામાન્ય ક્રિયા કરવા પણ પ્રકૃતિ બદલવી પડે છે, તો શુભધ્યાન જેવા ઉત્તમ અનુષ્ઠાન માટે તો ચોક્કસ પ્રકૃતિમાં શુભલેશ્યા જોઇએ. જેમ કોઇ માણસને પોતાના દેહ પર, રૂપ પર, સૌંદર્ય પર આકર્ષણ હોય, તે સંસારમાં રચ્યોપચ્યો રહેતો હોય, કારણ તેને શરીર પર ખૂબ મમતા છે, ખાવાની આસક્તિ પણ છે, આવા જીવો ધર્મ કરવા બેસે કે કોઈ દયા-દાન-ઉદારતાની પ્રવૃત્તિ કરે ત્યારે પણ, તેમનું કેલીબર નીચું હોય; મમતા-આસક્તિના કારણે વેશ્યા પણ અશુભ જ હોય; કારણ તેને શુભ કાર્ય કરતી વખતે પણ પ્રકૃતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, તેથી લેણ્યા મૂળમાંથી બદલાઈ નથી. જેમ તમે ચૈત્યવંદન કરવા બેસો ત્યારે તમારામાં રહેલ સ્વાર્થવૃત્તિના કારણે, કોઈ વ્યક્તિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy