________________
ટકવાની વાત આખા ભરતક્ષેત્રની અપેક્ષાએ છે, તેથી ભરતક્ષેત્રના બીજા ભાગોમાં તો શાસન ટકશે જ. પરંતુ અહીં જો આ પતનની ગતિને રોકવામાં નહિ આવે તો ભાવિ જોખમ મોટું છે.
સભા - વર્તમાનમાં સાધુ અને શ્રાવક બન્નેના વિચારોમાં ફેર પડ્યો છે.
સાહેબજી:- હા, કારણ તમારી અસરો અમને ફાવે તેમ છે. શ્રાવકોની અસર અમને થવાની જ છે. અમે જંગલમાં રહેનાર જિનકલ્પી સાધુ નથી. અમારા જીવનમાં કોઇપણ વસ્તુની જરૂરીયાત હોય તો તમારી પાસે જ આવવાના છીએ. કારણ કે ભગવાને મુનિ માટે લોકાશ્રયનો આચાર રાખ્યો છે. માટે બન્નેએ સાવધાન થવાની જરૂર છે.
હવે આગળ. તમે તમારા મનોભાવોનું એનાલીસીસ કરતા થઈ જાઓ કે કયા ભાવો દુઃખનો અનુભવ કરાવે છે ક્યા ભાવો સુખનો અનુભવ કરાવે છે. પછી નક્કર સત્યને સમજતા થઇ જશો તો સાચી દિશા આપમેળે મળવાની ચાલુ થઇ જશે.
મનમાં કામ-ક્રોધ જેવા અશુભ ભાવો કે દયા-મૈત્રીના શુભ ભાવોની અનુભૂતિ સુખદાયક થાય છે કે દુઃખદાયક, તેનું વેધકતાથી એનાલીસીસ કરો. વિશુદ્ધ ભાવોમાં સુખાનુભૂતિ અને સંક્લિષ્ટ ભાવોમાં દુઃખાનુભૂતિ કરતા જાઓ. તેમાં જેમ જેમ સ્પષ્ટતા થશે તેમ તેમ તત્ત્વસંવેદન પ્રગટાવી શકશો અને તે પામવામાં જ મનુષ્યભવની સાર્થકતા
સભા - એકાદ દાખલો આપો.
સાહેબજી :- સંસારના સ્વરૂપનું અવલોકન કરો, ચિંતન-મનન કરો તે વખતે જે ભાવો મનમાં પેદા થાય તેની અનુભૂતિ કેવી થાય છે તે વિચારો તો ખબર પડશે.
જેમ નવી વાનગી આવી, મોંમાં મૂકી ત્યારે ધ્યાન ક્યાં હોય છે? તેનો કેવો સ્વાદ આવે છે. જેવો સ્વાદ આવે તેવો પ્રતિભાવ આપો છો. તમે જીવનમાં જે રીતે વસ્તુનું એનાલીસીસ કરો છો તેવું તમારા ભાવોનું એનાલીસીસ કરો, તો તેમાંથી તત્ત્વસંવેદન પ્રગટશે, સમકિત માટે રસ્તો ખુલ્લો થશે. આત્મશુદ્ધિ થોડી પણ પ્રગટશે તો મેળવેલી ચિત્તશુદ્ધિના ઘણા જ લાભ છે.
* *
* *
* *
* *
* * * * *
* * *
*
* *
*
*
*
*
*
*
* *
*
* * * *
* * * *
*
* * *
* *
* *
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org