________________
પૂર્વધર પણ પ્રાથમિક કક્ષાવાળા જીવોને કેટલું આપી શકે ? બધે મર્યાદા આવી જતી હોય છે. નહીંતર શ્રાવકોને ૪૫ આગમ સંભળાવવાની ના નથી. પૂર્વના મહાત્માઓ ૪૫ આગમ શ્રાવકોને સંભળાવતા હતા. આ ૨૦ ગાથાનો ગ્રંથ છે તેમાં કેટલો ખજાનો ભર્યો છે ! તો ગણધરરચિત આગમોમાં કેટલું તત્ત્વ હશે તે વિચારજો.
અત્યારે તો અમારે પર્ષદાનો મૂડ ટકાવવો પડે છે, ક્યારે તમારો ફ્યુઝ ડાઉન થઇ જાય તે કહેવાય નહિ. પરંતુ આજના શ્રોતાને એવી અપેક્ષા નથી હોતી કે તીર્થંકરોએ કહેલું તત્ત્વ જ અમને સાંભળવા-સમજવા મળે. તમને તો આજની દુનિયાનું નવું થોડું જાણવા મળે, તેમાં પણ સાથે રસ પડે, વ્યાખ્યાન સાંભળતાં આનંદ મળે, મનોરંજન મળે તેવું જોઇએ. બસ, અત્યારે તો મોટા ભાગે આ રીતની જ પર્ષદા છે.
સભા :- ધીરે ધીરે આવશે.
સાહેબજી ઃ- ક્યારે ? અમે દેવલોકમાં જઇશું પછી ? વ્યાખ્યાન બીજા ચાર મહિના કે બાર મહિના આપું તો પણ તમે બાળપોથીમાં જ ને ? માટે જ અમે જૈનશાસનની અદ્ભુત વાતો સભામાં નથી કરી શકતા. આ શાસનમાં અદ્ભુત સિદ્ધાંત સ્યાદ્વાદ છે. જો રીયલ કોન્ટેક્ષમાં પીરસાય તો ફિદા થઇ જવાય. પણ આવું અદ્ભુત તત્ત્વ જ્ઞાનભંડારોમાં જ રહે છે.
સભા ઃ- જ્ઞાનભંડાર નામ પણ એવું જ આપ્યું છે.
સાહેબજી :- હા, બસ, ત્યાં જ ભંડારવાનું છે. કારણ તમારામાં તો બીજુ ઘણું ભંડારાયેલું છે. આના પ્રત્યાઘાતો ક્યાં છે તે વિચારજો. સાધુસંસ્થા પર છે. આ પાટ પર બેસીને સામાન્ય સદ્ગુણની જ વાત કરી શકું ને? નીતિ, નિયમ, આર્યસંસ્કૃતિ, વ્યસનો ખરાબ, જો આવું બધું સમજાવું તો જબરદસ્ત વ્યાખ્યાનો ચાલે. પછી મરતાં સુધી મહાવીર કોણ અને તેમનો મોક્ષમાર્ગ શું છે, તેનો એક શબ્દ પણ તેમાં ન આવે તો ચાલે, જેથી સાધુને પણ કોઇ શાસ્ત્રો ભણવાની ઉપયોગિતા ન રહે. પરંતુ ભૌતિકદષ્ટિએ, અધ્યાત્મદૃષ્ટિએ શાસ્ત્રજ્ઞાન અનિવાર્ય છે. દિવસે દિવસે મુખ્ય સંઘોમાં પણ આવો વર્ગ ઘટવાના કારણે ડીમાન્ડ બદલાઇ છે. માટે ૫૦, ૧૦૦ વર્ષ પછી ખરો મોક્ષમાર્ગ શું ? મોક્ષતત્ત્વ શું ? તે પૂછશો તો આખા સંઘમાં કોઇ વિરલાને જ ખબર હશે.
૧૭૨
સભા ઃ- તો શાસન કેમ ચાલશે ?
સાહેબજી :- આ ખાલી અહીંની વાત છે. જ્યારે ૨૧,૦૦૦ વર્ષ સુધી શાસન
Jain Education International
એક બાબો બીપી બીપીએલ ગવ
મનોવિજય અને આત્મશુદ્ધિ
For Private & Personal Use Only
www.jainelibrary.org