________________
લીધું કે પ્રકૃતિ અને પ્રાણ તો સાથે જ જાય, માટે જીવનમાં પ્રકૃતિના પરિવર્તન માટે મથામણ કરવી બિનજરૂરી છે. પણ જો આવું જ હોય તો પછી ધર્મની જરૂર રહેતી નથી. તમને ધર્મ એ કહે છે કે પ્રકૃતિને બદલો. ધર્મ તમે જેવા છો તેવા રાખવા માંગે છે કે બદલાવવા માંગે છે ? ધર્મ તમારું આંતરિક પરિવર્તન કરવા માંગે છે. અહીં કાંઇ ફિઝીકલી પરિવર્તનની વાત નથી. આંતરિક પરિવર્તનમાં તો પ્રકૃતિ જ આવશે. તમે ધર્મમાં આવો એટલે સાચી માન્યતા અને સારી પ્રકૃતિ કેળવવાની આવશે જ. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, દાન, દયા, તપ, ત્યાગ કરો તે બધામાં માન્યતા, પ્રકૃતિ-પરિણતિને સાંકળી લેવાં પડે છે. જેને પ્રકૃતિમાં ફેરફાર કરવાનું જરૂરી નથી લાગતું તેને ધર્મ ઉપયોગી નથી. જેમ તમે ધર્મમાં આગળ વધતા જાઓ તેમ પ્રકૃતિમાં ફેરફાર આવવો જ જોઇએ. જેનામાં આ ફેરફાર નથી આવતો તેને હજુ ધર્મ આત્મસાત્ થયો નથી. પ્રકૃતિમાં ફેરફાર મર્યા પછી કરવાનો નથી પણ જીવતાં કરવાનો છે.
**** ૯૪
Jain Education International
For Private & Personal Use Only
****************
મનોવિજય અને આત્મશુદ્ધિ
www.jainelibrary.org