SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રાસ્તાવિક છું “સાધક માટે આરાધનાનો પ્રાણ ચાર શરણાં, વ્યાખ્યાનનો પ્રાણ શુદ્ધ તાત્ત્વિક પ્રરૂપણા.” ઉપદેશક હોય પ.પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા., વિષય હોય પૂ. ઉમાસ્વાતિજી મ.સા.ના “તત્ત્વાર્થસૂત્ર'માંથી “આશ્રવતત્ત્વ', અને શ્રોતા હોય રાજનગરના જિજ્ઞાસુ શ્રાવકો, પછી કયો રંગ બાકી રહે? નિત્ય નવ નવા રંગથી રંગાઈ જાય નવરંગપુરાનો ઉપાશ્રય! - પ.પૂ. મોટા પંડિત મ.સા.ના સં. ૨૦૫૪ના રાજનગર મળે નવરંગપુરા ઉપાશ્રયે થયેલ ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે સવારે “આશ્રવ તત્ત્વ' પર ખૂબ જ માર્મિક પ્રવચનો થયેલા. સુજ્ઞ શ્રોતા અને તપસ્વી શ્રીમતી દર્શનાબેને સદર પ્રવચનોની વિસ્તૃત નોંધ કરી લીધેલ તેને પાયામાં રાખી સાધ્વીજી પૂ. બોધિરત્નાશ્રીજી મ.સા., શ્રી જયોતિષભાઇ, શ્રી ઉત્તમભાઈ ગાંધી, શ્રી ગિરીશભાઈ તથા શ્રીમતિ સુમિત્રાબેન હસમુખભાઈ આદિ શ્રોતાઓએ પણ કરેલ નોંધનો પૂરક તરીકે સહારો લઈ તત્ત્વના મર્મને ખોલતા “આશ્રવ અને અનુબંધ' પુસ્તકનું સુંદર સંકલન થયું, જેની પ્રથમ આવૃત્તિ સં. ૨૦૧૬માં પ્રકાશિત થઈ અને વાચકોની અવિરત માંગને ધ્યાનમાં રાખી તેને વધારે સુદઢ કરી તેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે આપણા સૌનું સદ્ભાગ્ય છે. સાધકે પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે વિવિધ શુભાશુભ પરિણામો-ભાવો દ્વારા નવા કર્મો બંધાવવાની તેમાં જે શક્તિઓ પડેલી હોય છે તેને “અનુબંધ' કહેવાય છે જ્ઞાનીઓ બંધ કરતાં અનુબંધને જ પ્રધાનતા આપે છે. આ વાત ખૂબ સુંદર રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી, વ્યવહારનિશ્ચયથી, અઢાર પાપસ્થાનકોની દૃષ્ટિથી, ગુણસ્થાનકની ભૂમિકાની દૃષ્ટિથી... વગેરે અનેક જુદા જુદા દષ્ટિકોણથી આ પુસ્તકમાં વિચારાઇ છે, સાથે જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ કેમ? વૃત્તિ-લેશ્યા-અધ્યવસાય શું છે? અનુબંધ ક્યારે શુભ? અને ક્યારે અશુભ? વગેરે અનેક વાતો પણ સૂક્ષ્મ રીતે આમાં વિચારાઇ છે. કેટલાક હૃદયસ્પર્શી વાક્યો તથા જીવનમાં રાહબરી સિદ્ધાંતો કે પદાર્થો જણાયા છે તેને ગાઢ અક્ષરોમાં વાચકોનું વિશેષ ધ્યાન દોરવા છાપ્યા છે, જેનું વારંવાર દોહન કરી જીવનમાં અંગીકાર કરશો તેવી અભ્યર્થના. આ પુસ્તકને નજર સમક્ષ રાખીને, આપણે સૌ પૂ. મોટા પંડિત મ.સા.ને હૈયામાં બહુમાનપૂર્વક ધારણ કરીને, મિથ્યાત્વ દૂર કરીને, વિરતિભાવ આદરીને, ઇન્દ્રિયો પર સંયમ કેળવીને, કષાયો પર વિજય મેળવતાં મેળવતાં, વિવિધ યોગો પર પ્રભુત્વ પ્રાપ્ત કરતાં કરતાં, આશ્રવને હેય બનાવતાં બનાવતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત કરીએ તે જ અભિલાષા. જ્યોતિષ અમૃતલાલ શાહ ગીતાર્થ ગંગા ભાદરવા સુદ ૧૨, ૨૦૫૬, રવિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy