SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૫૧ શાસ્ત્રમાં પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐદંપર્યાયાર્થ : બધાથી વિચાર કરવાનું કહ્યું છે. ઐદંપર્યાયાર્થમાં પદાર્થની અનેક નયોથી વિચારણા અને પછી તેને પ્રમાણથી Certify(પ્રમાણિત) કરવાનું આવે. સાપેક્ષ અંશ નય છે, જ્યારે નિરપેક્ષ અંશ દુર્નય છે. નવ લાખ નવકાર ગણવાથી બધું થઇ જશે એમ માનશો તો એકાંતવાદી(નિરપેક્ષમાં માનનારા) કહેવાશો. વિશુદ્ધિની માત્રાને લક્ષમાં રાખીને આવાCourse (વિધિ) લખાયા છે. Quanity (જથ્થો) પરિણામની વિશુદ્ધિ માટે છે. એક નવકારથી માંડી ક્રમસર વિશુદ્ધિ વધે તેના માટે નવ લાખ નવકાર ગણતાં વિશુદ્ધિ વધી જશે. આ કંઇ ઘેલાઓનો ધર્મ નથી, પટુબુદ્ધિવાળાઓનો ધર્મ છે. સભા- અનાનુપૂર્વી ગણવાની કેમ? સાહેબજી:- ઉપયોગની તીવ્રતા વધારવા માટે ગણવાની છે. સીધું ગણવામાં સંસ્કાર થઈ ગયા હોય છે, જયારે આમાં સંસ્કાર થયેલા હોતા નથી, જેથી જીવ ઉપયોગ વધારે રાખે. આ બધું બાળજીવોને લક્ષમાં રાખીને કહેવાતું હોય છે. સભા- અર્થ-કામ માટે ધર્મન જ કરાય? સાહેબજી- અર્થ-કામ માટે ધર્મ ઉત્સર્ગથી નહિ, અપવાદથી જ થાય. અપવાદમાં પણ તેના હેતુ-સ્વરૂપ-અનુબંધ બધું બદલાઈ જાય છે. વિધિનું પ્રતિપાદન કરવું એમ અવિધિનો નિષેધ કરવો તે ઉપદેશકનું કર્તવ્ય છે. હું ખોટો ઉપદેશ આપું તોય ગુનેગાર અને સાચો ઉપદેશ ન આપે તોય ગુનેગાર. દર્શનાચાર બે પ્રકારે છે. અવિધિનિષેધરૂપ અને વિધિપ્રતિપાદનરૂપ. આ બંનેમાંથી એકમાં પણ અમે ચૂકીએ તો તેના પરિણામે થતા નુકસાન માટે અમે જવાબદાર. જો મેં જાણવા છતાં પણ અવિધિ ન બતાવી તો મારા પરિણામ કઠોર બને, સામો જીવ કુટાય અને મને સામે મિથ્યાત્વમોહનીય બંધાય. હું બતાવું છતાં તે ઊંધું કરે તો તેમાં મારી જવાબદારી નહિ. કોઇ પોતાની જાતે આપઘાત કરીને મરે તો કાંઈ અમારી જવાબદારી નથી, પણ મારા ઉપદેશને કારણે મરે તો તો મારી જવાબદારી ખરી ને ? તમને સારું લાગશે કે ખોટું લાગશે તેવી ચિંતાઓ કરી અમે તમને વિધિ-અવિધિ ન બતાવીએ, તે ન ચાલે. અમારે તો સત્યનું પ્રતિપાદન કરવાનું છે. તમને સાવધ કરવાનું અમારું કામ છે. Detective (ક્ષતિયુક્ત) ધર્મ Defective ફળને આપશે. માટે બંધ પણ શુભ અને અનુબંધ પણ શુભ જોઇશે. અમે આટલું શું કામ કહીએ છીએ? તમારું માથું ખાવા નહિ પણ તમને માર્ગદર્શન મળે તે માટે વ્યવહારનય પણ પુણ્યાનુબંધી પુણ્યને જ (૧) અનાનુપૂર્વી : ઊંધાચત્તા, વિપરીતક્રમથી લખેલા આંકડાઓ દ્વારા તે તે પદોને યાદ કરીને નવકાર ગણવા, તેવી પદ્ધતિ - (ટીપની ચોપડીમાં હોય છે તે રીતે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy