SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૩૫ છે. વર્તમાન પુરુષાર્થ પણ ભૂતકાળના પુણ્યથી સફળ થાય છે. અંતરાયકર્મ તીવ્ર બાંધેલાં હોય તો બધો પુરુષાર્થ નિષ્ફળ જાય. જેથી લાભના બદલે નુકસાન થાય. આ બધું પ્રત્યક્ષ છે. આવો જીવ કમાવા જાય તો બાવો થઇને પાછો આવે. માટે કહે છે કે જેને આવા આવા યોગ હોય તેણે ત્યારે વેપાર-ધંધો કરવો નહિ. બજાર સારી હશે તો પણ ધંધામાં ખરાબ રીતે તે ઊંધો પડશે. ભગવાન કંઈ ખોટું બતાવતા નથી. હા, સર્જનની જયાં વાત આવે ત્યાં બતાવે છે કે પોતે પણ છ વસ્તુમાં અસમર્થ છે. જેમ કે તેઓ એક પણ જીવ બનાવી શકતા નથી, એક પણ નવો પરમાણુ બનાવી શકતા નથી. અનંતા તીર્થકરો આ જ કહે છે અને અનંતા તીર્થકરો આ જ કહેશે. આ જગત કોઈની ઇચ્છા મુજબ ચાલતું નથી, પછી ભલે તે તીર્થકર હોય, દેવતા હોય કે ઇન્દ્ર હોય. તે પોતાના Natural laws(કુદરતી કાયદા) પ્રમાણે ચાલે છે. જેમ કે આ કરો તો આ ગતિ; ખોરાકમાં ધૂળ નાખો તો ખોરાક બગડી જાય અને મસાલો નાંખો તો સ્વાદિષ્ટ થાય; જીવનો આ સ્વભાવ, પુદ્ગલનો આ સ્વભાવ; એમ બધા વિકલ્પો છે. તેમાં આપણે આશ્રવતત્ત્વની વિચારણા ચાલે છે. સંસારમાં કર્મપ્રવાહ આત્મા પર આવે છે, તેમ તેને ભોગવવા ગતિઓ પણ છે. આયુષ્ય જુદું છે, કાયસ્થિતિ પણ જુદી છે. તેમાં તો બસ, જીવ અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી સુધી ફર્યા જ કરે છે. સભા- કાયસ્થિતિ કયા આધારે ? સાહેબજી:- દીર્ઘ કાયસ્થિતિ એ તમારી પરિણતિ અને નિર્વિચારકતા પર આધાર રાખે છે. ભૌતિક સામગ્રીમાં લુબ્ધ થઈ વ્યામૂઢતા(અંજાઈ જવું તે, નિર્વિચારકતા)થી જીવ કાયસ્થિતિ બાંધતો હોય તો દીર્ઘકાળ સુધી તે ભવોમાં પડ્યો રહે. સાધારણવનસ્પતિકાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની હોય છે. તમે ગમાર બની, વ્યામૂઢ થઇ, વિવેકહીન બની સંસારમાં પક્ષપાતી થઈ જાઓ, કોઈ કહે તો પણ સાંભળો જ નહિ; તો બસ, પછી તો જીવને એકેન્દ્રિયમાં જઈને ઠંડો પવન જ ખાવાનો આવે. પછી ત્યાં સામગ્રી પણ એવી જ મળ્યા કરે. અહીંયાં તો કર્મ સામે લડવાનો અવકાશ છે, અહીં (૧) ભગવાન પણ છ વસ્તુઓ કરવામાં અસમર્થ છે તે માટે જુઓ પરિશિષ્ટX-૧૨ (૨) કાયસ્થિતિ: મરીને ફરી ફરી તેના તે જ ભવમાં ઉત્પન્ન થવું તે. આવું ઉત્કૃષ્ટથી કેટલી વાર અને કેટલા કાળ સુધી બને તેનો વિચાર કાયસ્થિતિમાં આવે. જેમ કે મનુષ્ય મરીને મનુષ્ય સતત ૭ થી ૮ વખત થઈ શકે. દેવ અને નારકી મરીને પુનઃ દેવ કે નારકી થતા નથી. તેથી મનુષ્યની કાયસ્થિતિ ૭ થી ૮ ભવની કહેવાય અને દેવતા અને નારકીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૩૩ સાગરોપમની કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy