SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ આશ્રવ અને અનુબંધ કહેશે. તેમના ઉપદેશમાં મોક્ષમાર્ગ, સંસારમાર્ગ, નવ તત્ત્વ, પંચાસ્તિકાય આ બધામાં કોઇ ફેરફાર નથી. આજે કે ભવિષ્યમાં પણ મારે આ જ પામવાનું છે, તે જો તમારા મગજમાં બરાબર બેસી જાય, તો હમણાં પ્રગતિ ચાલુ થઇ જાય. નિષેધનો પરિત્યાગ અને વિધાનનું સેવન ભૂમિકા મુજબ કરો. એ તો conviction(પાકી ખાતરી-પ્રતીતિ) આવે તો જ બળ મળે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ ઉપાસના ને સાધના બતાવે છે. ભગવાન પહેલાં Statement(વિધાન) કરે, પછી તર્કથી, નય-સમભંગી-નિપા વગેરેથી પુરવાર કરે કે ચારિત્ર અનાશ્રવ છે. માટે આ રીતે ભગવાનના statementને ઝીલીને તમારા આત્માને તેમાં convince કરો(સમજપૂર્વક વિશ્વાસ બેસાડો), convince થાઓ(પ્રતીતિ થાય) એટલે બળ આવે. પછી સાધના કરો. સાધના કરો એટલે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય, ક્ષયોપશમ થાય એટલે મોક્ષ તરફ પ્રગતિ થાય. સભા- પણ અમારે convince (પ્રતીતિ થવી-ખાતરી થવી) કેવી રીતે થવું? સાહેબજી:- Statement સામે દલીલો-પ્રતિદલીલો કરો, પછી ઊહાપોહ ને તર્ક કરો. દષ્ટાંત-પ્રતિદષ્ટાંતોથી સિદ્ધિ કરો. પછી ઉપાસના ને સાધનાનું બળ મળે. પછી અનુભવજ્ઞાન થાય, જેનાથી ક્ષયોપશમ થાય અને મોક્ષ થાય. ભગવાને કરેલાં વિધાન તમારે ઝીલવાનાં છે. અમને પણ આ બધામાં Convince થવામાં વર્ષો નીકળી ગયાં છે. અમારી પણ દૂસ નીકળી ગયેલી. એક ચારિત્ર અનાશ્રવ છે તેટલું Convince થવામાં અમારાં વર્ષો વીત્યાં છે. કર્મની દષ્ટિએ, અધ્યવસાયની દષ્ટિએ, પરિણામની દષ્ટિએ, સ્વરૂપથી શું? બધું વિચારતાં વર્ષો વીત્યાં ત્યારે Convince થયા. સર્વનય-નિક્ષેપા-ભંગ ઉતારી પ્રમાણથી વિચાર્યું તો ચારિત્ર અનાશ્રવરૂપ બેઠું. પછી થયું આનાથી જ મોક્ષ છે. તત્ત્વજ્ઞાન તેનું સાધન છે. કોઈપણ વસ્તુની પ્રાપ્તિ તેના સાધનના જ્ઞાનમાત્રથી નહીં, પણ સેવનથી છે. વેપારનું જ્ઞાન હોવા માત્રથી ધનનો ઢગલો નથી થતો, પણ તે માટે દુકાને જવું પડે, જ્ઞાન પ્રમાણે વેપાર કરવો પડે. તેમ અહીં પણ જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે. પછી તેમાં ગતિ તેજ કે ધીમી તે જીવના સત્ત્વ ઉપર આભારી છે. પણ જીવને જેટલો તત્ત્વનો પક્ષપાત આવ્યો એટલે કર્મોનું Dissolution (તૂટવાનું) ચાલુ થાય. જેટલી માત્રામાં રુચિ આવી તેટલી માત્રામાં કર્મો શિથિલ થવા માંડે. તત્ત્વનો નિર્ણય કરવો તે પણ એક મોટી સાધના છે. તેનાં પણ ફળ છે. Systematic stepwise (પદ્ધતિસર અને ક્રમસર) આગળ ચઢવાનું છે. ધર્મમાં એક શાખા, બીજી શાખા અને ત્રીજી શાખા એમ સર્વ શાખામાં ગીતાર્થ થવું પડે. બધી શાખા પાછી એક બીજા સાથે interconnected (સંકળાયેલી) છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy