SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૬૫ કષાયો કાંઈક તો તમારું ધન લઈને જ જાય. તે નવરા ન બેસે. તેને લૂંટારાની ઉપમા આપી છે. સભા- કષાયો-સંજ્ઞા આનુષંગિક રીતે ઘૂસી જાય તો? સાહેબજી:- આનુષંગિકપણે પણ સંજ્ઞા કે કષાયો ઘૂસે તો પણ તે તમારા ફળને weak(નબળાં) કરે. દા.ત. દાન આપ્યા પછી માનની અપેક્ષા થોડી થોડી ઊભી થાય, તો તે તમારા ધર્મના ફળમાં ન્યૂનતા લાવે. આ વિષયો અને કષાયો પહેલાં તો તમને ધર્મ કરવા જ ન દે, ધર્મ કરતાં લૂંટે, ધર્મ કર્યા પછી લૂંટે અને બધું લૂંટી બાવા પણ કરી આપે; યાને કે કરેલા ધર્મને સાફ પણ કરી નાંખે. પાપમાં અપવર્તનાકરણ લાગે તો plus point(જમા પાસું) છે. પુણ્યમાં-ધર્મમાં અપવર્તનાકરણ લાગે તો મૂંડાવાનું ચાલુ થાય. મોક્ષે જવું હોય તેણે ખૂબ સાવધ રહેવાનું, alert(સતર્ક રહેવું પડે. મોક્ષે કાંઇ એમ ને એમ ન જવાય. વેપારમાં તમે કેટલા સાવધ? નોકરિયાતને કોઇ ઉપાધિ નહીં અને વેપારીને ર૪ કલાક ઉપાધિ ને? દુનિયામાં ફેરફાર થાય તો ચિંતા વેપારીને કે નોકરિયાતને? મુનિ વેપારી જેવો છે અને તમે નોકરિયાત જેવા. તમે પુણ્યાનુબંધી પુણ્ય નથી બાંધી શકતા તેમાં કારણ તમારું માથું જ છે, બાકી ધર્મમાં તો ઘણી તાકાત છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે તો ever-ready(સદા-સાવધ) રહેવું પડે ને? જીવ જો સાવધ હોય તો તે પાપ સેવવા છતાં અનુબંધ પુણ્યનો પાડે, યાને કે પુણ્યાનુબંધી પાપ બાંધી શકે. સમકિતી પાપમાં સંક્રમણકરણ લગાડીને તેને પુણ્યમાં ફેરવી નાંખે. સભા- તે બાબતમાં અપુનબંધક ક્યાં છે? સાહેબજી:- અપુનબંધક હજી નબળો છે. તે માંડ માંડ ઊભો થયો છે. તેણે ઉપર ઉપરની ઘણી ઊંચી ભૂમિકાઓ સર કરવાની છે. યોગની એક એક દષ્ટિમાં કે એક એક ગુણસ્થાનકમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલાં અધ્યવસાયસ્થાનો છે. તમારો વિકાસ અધ્યવસાયસ્થાનો પર નિર્ભર છે. પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વ છે, છતાં ગુણીગુણસ્થાનક છે. તેમાં કેટલા બધા ભેદ છે ! નીચેના ગુણસ્થાનકના top (સર્વોત્કૃષ્ટ કક્ષા)ના અને ઉપરના ગુણસ્થાનકના bottom(જઘન્ય કક્ષા)ના અધ્યવસાયોમાં પાછો કેટલો બધો ભેદતરતમતા હોય છે ! આ આઠ દૃષ્ટિ કે ચૌદ ગુણસ્થાનક તો સ્થૂલથી છે, પણ એક એક દષ્ટિમાં અને ગુણસ્થાનકમાં પણ અસંખ્ય ભેદો છે. તમને બધી Theory(સિદ્ધાંતો) બેસે તો તમે બધું ચઢાણ ચઢી શકો તેમ છો. જે ભગવાન મહાવીરે કહ્યું છે તે જ અનંતા તીર્થકરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy