________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૪ શ્રી અભિનંદન જિન સ્તવન રાગ ધનાશ્રીઆજ નિહેજે રે દીએ નાહલે–એ દેશી. અભિનંદન જિન દરિસણ તરસિકે, દરિસણ દુર્લભ દેવ; મતમત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ. ૧ સામાન્ય કરી દરિસણ દેહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમે ઘેર્યો રે અંધ કેમ કરે, રવિ શશિરૂપ વિલેખ. અ૦ ૨ હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબેલે વિખવાદ. અ૦ ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચર, સેંગૂ કોઈ ન સાથ. અ૦ ૪ દરિસણ દરિસણ રટતો જે ફરૂં, તો રણ રેઝ સમાન; જેહને પપાસા હે અમૃત પાનની. કિમ ભાંજે વિષપાન. અા પ તરસ ન આવે તે મરણ જીવનતણે, કે જે દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અ૬
૫ શ્રી સુમતિ જિનનું સ્તવન
રાગ વસંત તથા કેદારે સુમતિ ચરણકજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર સુગ્યાની. અતિતર પણ બહુ સમ્મત જાણિયે, પરિસર પણ સુવિચાર. સુચાની. ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ઘુરી ભેદ, સુગ્યાની બીજે અંતર આતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ. સુગ્યાની. આતમબુદ્ધ કાયાદિકે ગ્રહ્ય, અહિરાતમ અઘરૂપ, સુગ્યાની. કાયાદિકને હા સાખીઘર રહ્યો, અંતર આતમ રૂપ. સુગ્યાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org