SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યનો જય ૭૯ ત્યાં તે ધર્મકરણીમાં તલ્લીન થઈને, તે સ્ત્રી સહિત ઉજજયિનીમાં આનંદથી રહે છે. આ પ્રમાણે સાંભળીને, હે વત્સ! આનંદિત મનવાળી એવી હું અહીં આવી છું. આવતાંની સાથે જ આનંદ આપે એવી ચાંદની સાથે રહેલા ચંદ્રની માફક પુત્રવધૂ સાથે તને છે. માટે હે વત્સ! તું તારી પત્નિ સહિત ઘણું સમય સુધી જયવંત થા! જીવ ! તથા સમૃદ્ધિ પામ! તેમજ આ જિન ધર્મ હવે મને જીવિત પર્યત શરણરૂપ થાઓ.” પછી જિનમંદિરમાં જઈને, જિનેશ્વરદેવના ચરણ કમલેને નમીને તથા ઉપાશ્રયમાં જઈ ગુરુ મહારાજને વંદન કરીને, ત્રણે જણ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મની આરાધના કરતા કરતા ત્રણે જણા સાધમીએાએ આપેલા મકાનમાં આનંદથી દિવસ વીતાવતા હતા (જૂઓ ચિત્ર૭૮). એક દિવસે તેઓ શ્રીજિનેશ્વરદેવની અંગપૂજા તથા અગ્રપૂજા કરીને, ભાવપૂજા કરતાં કરતાં ઉપગ સહિત દેવવંદન કરતા હતા. તે વખતે પુત્રીના દુખથી દુઃખ પામેલી એવી તે રૂપસુંદરી રાણી રાજાથી રીસાઈને પોતાના ભાઈ પુણ્યપાલને ત્યાં શેકસહિત ચાલી ગઈ હતી. પિતાના ભાઈને ત્યાં રહેતી રાણી રૂપસુંદરી ધીમે ધીમે જિનવચનથી પિતાનું દુઃખ વિસારીને, મનમાં વિવેકરૂપી દીપક જાગૃત થવાથી તે જ જિનમંદિરમાં આવી. તેવામાં તેણીએ અગાડી બેસીને, દેવવંદન કરવામાં તત્પર થએલા, નિપુણ તથા નિરૂપમ રૂપાલા અને પ્રત્યક્ષ દેવકુમાર સરખા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy