SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉંબરાણાએ કરેલી સિદ્ધચકની આરાધના પગવાળા–પશુઓ વગેરેથી ઉત્પન્ન થતા ભો અને મરકી વગેરે રેગે પણ પરાભવ કરી શકતા નથી. વાંઝણ સ્ત્રીઓ પુત્રને જનમ આપે છે, મૃતવત્સા–જનમીને મરણ પામતા સંતાને વાળી સ્ત્રીઓના સંતાને મરણ નહિ પામતા જીવે છે. પહેલાના ઉત્પન્ન થએલા દુષ્ટ ઉપદ્રવ શાંત થઈ જાય છે.. તથા દરેક જાતના દુર્ભાગીપણાને નાશ થાય છે. આ સિદ્ધચકજીની આરાધના કરવાના નવે દિવસેએ, તેની આરાધના કરનાર પ્રાણીઓએ નિર્જીવ ભૂમિ ઉપર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. દરેકે દરેક પદની વિશવીશ નવકારવાળી ગણવી. ત્રણે કાળ આઠ સ્તુતિથી દેવવંદન કરવું. સવાર અને સાંજના પ્રતિક્રમણ કરવાં. ગુરુ મહારાજની ઉત્તમ પ્રકારે વૈયાવચ્ચ કરવી. બની શકે તે નવે દિવસ આરંભ સમારંભનો ત્યાગ કરે. મન, વચન અને કાયાને કબજે રાખીને, નવે દિવસ શ્રીસિદ્ધચક–નવપદજીનું હદયમાં ધ્યાન ધરવું. (આ ગ્રંથના સંપાદકે પોતે પણ શ્રી સિદ્ધચક્રજીની આરાધના એક્યાસી આયંબિલ કરીને વિધિપૂર્વક કરી છે, અને તેના ફાયદાઓ પણ પ્રત્યક્ષ અનુભવ્યા છે.) આ પ્રમાણે નવપદજીનો પ્રભાવ સાંભળીને, તથા લેકેએ નજરે જેવાથી, લેકે આનંદિત થઈ ગયા અને સિદ્ધચકજીનું સ્નાત્રજ વિશેષ કરીને ગ્રહણ કરવા લાગ્યા ઉંબરાણાની સાથે જે સાત કેઢિયા હતા, તેઓના ઊપર પણ તે સ્નાત્રજલ છાંટવામાં આવ્યું. તે સ્નાત્રજલ છાંટતાંની સાથે જ બધા કેઢિયાઓ રેગરહિત થઈ ગયા અને જૈનધર્મ તરફ પ્રીતિવાળા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy