SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી શ્રીપાલ કથા એમાં આઠ દિપાલેને આલેખવા (દશે દિપાલના ચિત્રો મટે જૂઓ ચિત્ર ૬૫ થી ૭૪). ઊપરના ભાગમાં “ બ્રહ્મણે નમઃ” લખવું, અને નીચેના ભાગમાં “ઝ નાગાય નમઃ” લખવું. દક્ષિણ તરફના ખૂણામાં “» ક્ષેત્રપાલાય નમઃ” લખવું. આવી રીતના શ્રીસિદ્ધચક્ર યંત્રની પૃથ્વીપીઠ પર સ્થાપના કરવી–આલેખવું. (જૂઓ ચિત્ર ૭૫). * ( શ્રીસિદ્ધચક યંત્રની સ્થાપના પૂરી થઈ શ્રી સિદ્ધચક્ર યંત્રને મહિમા આ સિદ્ધચક યંત્રની પૂજા કરનાર મનુષ્યના મનેવાંછિત પૂર્ણ થાય છે. વળી, આ સિદ્ધચકે યંત્ર વિદ્યાનુવાદ નામના પૂર્વમાંથી ઉદ્વરેલો છે. આ યંત્રના પરમાર્થ–રહસ્વ–ને જાણવાવાળાને અણિમાદિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિમલ અને ઉજવલ એવા આ સિદ્ધચક યંત્રનું, તપ અને ત્યાગ સહિત; જે માણસ શુકલધ્યાન પૂર્વક ધ્યાન ધરે છે–આરાધના કરે છે–તે માણસ પુષ્કળ કર્મોની નિર્જરા કરે છે. વળી, તે કર્મોની નિર્જરા કરતે કરતે અક્ષયસુખમેક્ષસુખ–ને પ્રાપ્ત કરે છે. જેને ધ્યાનથી ઉત્તમોત્તમ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, તેના ધ્યાનથી બીજી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમાં તે શી નવાઈ? આ સિદ્ધચકને જિનેશ્વરદેએ પરમ તત્વરૂપ, પરમ રહસ્યરૂપ, પરમ મંત્રરૂપ, પરમાર્થરૂપ અને પરમ પદરૂપ કહેલું છે. માટે ત્રણે જગતમાં પ્રસિદ્ધ, આઠે મહા સિદ્ધિઓને આપવાની શક્તિવાળા તથા શુદ્ધ એવા આ સિદ્ધચકચ્છની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy