SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી શ્રીપાલ કથા અને ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધીનું જ્ઞાન અને કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું પણ જ્ઞાન તેણીએ પ્રાપ્ત કર્યું. વળી તેણને ગુરુ જે શાંત, દાંત, જિતેંદ્રિય, ધીર, જિનેશ્વરદેવના મતમાં રક્ત અને ઉત્તમ બુદ્ધિવાળે હતો; મયણાસુંદરીમાં પણ તેના સંસર્ગથી તે બધા સદગુણ કેમ ન આવે? વળી સઘળી કળાઓમાં કુશલ, નિર્મલ સમ્યકત્વ અને શીલ વગેરે ગુણોવાળી તથા લજજાળુ એવી તે મયણાસુંદરી પણ અનુક્રમે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઈ એક દિવસ પ્રજાપાલ રાજાએ પિતાની બંને પુત્રીએના અભ્યાસની પરીક્ષા કરવા માટે, રાજકુમારીઓને શેભે તેવા વસ્ત્રાભૂષણ સજજ કરાવી, બંને પંડિત સહિત રાજદરબારમાં બોલાવી. વિનયથી નમ્ર થએલી અને પિતાના રૂપ તથા લાવણ્યથી રાજદરબારને ક્ષેભ પમાડનારી એવી, તે બંને રાજકુમારીઓને પિતાની બંને બાજુએ બેસાડી. પછી આનંદિત થએલા પ્રજાપાલ રાજાએ, તે બંને રાજકુમારીઓની બુદ્ધિની પરીક્ષા માટે, એક જ વખતે તે બંનેને “આટલી વસ્તુઓ પુણ્યથી પ્રાપ્ત થાય છે.” એ પ્રમાણે સમશ્યાનું એક પદ કહીને, તેની પાદપૂર્તિ કરવાનું કહ્યું. આ સમશ્યા સાંભળીને અત્યંત ચપલ સ્વભાવવાળી, અને ઘણું ગર્વથી ઘેલી બનેલી રાજકુમારી સુરસુંદરી બોલી કે “હુ તે સમશ્યા સંપૂર્ણ કરું છું; માટે સાંભળો.” “ધણજુવણસુવિયહૃપણ, રોગ રહિયનિયદેહ, મહુવલ્લાહ મેલાઓ, પુન્નિહિ લબ્બઈએહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy