SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના જેઓ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં બળદ જેવા છે, જેને આચાર અને ચારિત્ર નિશ્ચલ છે; એવા સાધુમહાત્માઓને યતનાપૂર્વક વંદન કરીને જનમ પવિત્ર કરે. જેઓ બ્રહ્મચર્યની નવવાનું પાલન કરે છે, બાર પ્રકારને તપ કરવામાં શૂરવીર છે; જે પૂર્વ પુણ્યરૂપી વૃક્ષના અંકૂરા પ્રગટે તે જ એવા સાધુઓને નમસ્કાર કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેઓના સંયમની પરીક્ષા સેનાની જેમ દેખાઈ આવે છે, જેઓ દરરોજ ચડતા રંગે–ભાવના–એ; દેશ અને કાળ પ્રમાણે સંયમનું પાલન કરે છે, તે સાધુઓને નમસ્કાર કરે.] ૬ દર્શનપદની સ્તુતિ : જે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના તત્વની સંપત્તિની સહણા રૂપ સમ્યફત્વ કહેવાય છે, તે સમ્યગ્દર્શનને અમે નમન કરીએ છિએ. જેઓને અર્ધ પુદગલ પરાવર્તન જેટલે સંસારવાસ બાકી રહેલ છે, એવા ભવ્ય પ્રાણીઓને ગ્રંથિભેદ થયા પછીથી જે પ્રાપ્ત થાય છે; તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. શ્રીજિનેશ્વરદેવેએ જે ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું કહેલું છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. ઔપથમિક સમ્યક્ત્વ પાંચ વખત આવે છે, ક્ષાપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે અને ક્ષાયિક સમ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy