SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રીપાલ કથા કર્મોના સંચયને દૂર કરવારૂપ નિરુકતાર્થવાળું ચારિત્ર પાળવું જોઈએ. - ૯ તપ–નિબિડ કર્મોરૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન, બાર ભેદેવાળું, કષાય રહિત તપનું નિરંતર સેવન કરવું જોઈએ–કષાય રહિત અને કઈપણ જાતની ઈચ્છા વગરની તપસ્યા કરવી જોઈએ. આ નવે પદ જૈન ધર્મમાં સારભૂત તથા કલ્યાણને કરવાવાળાં છે, માટે તે નવપદની શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક આરાધના કરવી જોઈએ આ નવે પદથી બનેલા શ્રીસિદ્ધચક્રજી મહારાજનું વિધિપૂર્વક આરાધન કરનાર શ્રીશ્રીપાલ મહારાજાની માફક સુખને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગૌતમસ્વામીના મુખથી સાંભળીને શ્રેણિક રાજાએ પૂછયું કે:-“હે પ્રભુ! એ પવિત્ર પુરુષ શ્રીપાલ કેણ હતા? તેમણે કેવી રીતે શ્રીસિદ્ધચક્રજીની આરાધના કરીને સુખ, સંપદા, ઉત્તમગતિ વગેરે પ્રાપ્ત કર્યા તે વિસ્તારથી સંભળાવવા કૃપા કરે.” તે વખતે ગૌતમસ્વામીએ સિદ્ધચક્રના મહિમા ગર્ભિત અત્યંત આશ્ચર્યકારક શ્રીપાલ રાજાનું ચરિત્ર આ પ્રમાણે કહ્યું આ ભરતક્ષેત્રમાં દક્ષિણખંડમાં પિતાના ગૌરવ અને સમૃદ્ધિથી ઉન્નત એ માલવ નામને ઉત્તમ દેશ છે. આ દેશમાં પગલે પગલે વાડવાળાં ગામે આવેલાં છે અને ન ઓળંગી શકાય તેવા ઉંચા પર્વતે આવેલા છે. વળી જ્યાં પગલે પગલે વેશ્યાઓના તરંગેની માફક પાણીથી ભરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy