SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી શ્રીપાલ કથા વળી, એક દિવસે તે રાજા ફરીને શિકાર માટે તે જ વનમાં ગયે. તે પિતાના સૈન્યને છેડીને એકલે જ હરણની પાછળ દેડ્યો. તે હરણ નદી કિનારા પાસેના વનમાં છૂપાઈ ગયું, અને તેથી તે રાજાની નજરે પડ્યું નહિ; પછી જેવામાં તે આજુબાજુ નજર કરે છે, તેવામાં નદી કિનારા પર રહેલા એક સાધુ તેના જવામાં આવ્યા. તેઓશ્રીને જોઈને તે પાપીએ તે મુનિરાજને એ તે ધક્કો માર્યો કે જેથી તેઓ નદીના પાણીમાં પડી ગયા. એવામાં વળી, તેને કંઈક દયાભાવ આવવાથી તેમને તેણે નદીમાંથી બહાર કહાડ્યા; કારણ કે જેના અતિ વિષમ એવા ભાવના ફેરફારને કણ જાણી શકે છે? પછી તે રાજાએ ઘેર આવીને પિતાને તે બધો વૃત્તાંત તરતજ શ્રીમતી રાણીને કહ્યો. તે વખતે તેણીએ રાજાને કહ્યું કેઃ “હે સ્વામીનાથ ! બીજા માણસને પીડા ઉત્પન્ન કરવાથી તેના કડવાં ફલ ઉત્પન્ન થાય છે, ત્યારે મુનિ મહારાજને જે પીડા ઉત્પન્ન કરવી તેના ફલ તો તેનાથી પણ ભયંકર ઉત્પન્ન થાય છે. કારણ કે સાધુની હેલના કરવાથી હાનિ થાય છે, હાંસી કરવાથી રડવું પડે છે, નિંદા કરવાથી વધ – બંધન–થાય છે, અને તાડના કરવાથી વ્યાધિ તથા મરણ થાય છે. મુનિરાજને મારવાથી જીવે અનંત – સંસારીપણું પામે છે, અને તેને બેધિબીજ – સમક્તિની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે; કારણ કે આગમમાં કહ્યું છે કેઃ “દેવદ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી તથા શાસનની હેલના કરવાથી, સાધવીના શીલનું ખંડન કરવાથી, બેષિબીજના મૂળમાં અગ્નિ ચાંપવા જેવું થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy