SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી શ્રીપાલ કથા કરવાથી શું ફાયદે? સૂર્યના સામે ધૂળ ફેંકવાથી તો તે ફેંકનાર ઉપર જ પડે છે. તે તેવા સૂર્યસમાન પ્રબળ પ્રતાપવાળા સામે ગુસ્સે બતાવીએ તે પરિણામે પિતાને જ ગેરલાભ આપનાર નીવડે છે. મહારાજ ! દીવાને પ્રકાશ ફેલાતાં અંધારાને નાશ થાય છે ખરે; પરંતુ જે સખત પવનની ઝપટ આવે છે, તે દી પણ ઓલવાઈ જાય છે. મતલબ એજ કે આપે દીવારૂપ પ્રકાશી ઘણાએ રાજાઓના ગર્વરૂપ અંધકારને દૂર કરેલ છે, પરંતુ આ ચડી આવેલ રાજેદ્ર ઊપર આપને દીવારૂપ પ્રકાશ પડી શકનાર જ નથી, કારણકે એ પ્રબળ પવનની જે અખલિત જેરવાળે છે. માટે હે પ્રભુ! ધ્યાન આપે કે, આકરા પવનના ઝપાટાથી દીવાને બચાવી કાયમ પ્રકાશવંત રાખવા જ્યાં પવનની ઝપટ ન લાગે ત્યાં મૂકવામાં આવે છે તેથી શું દીપકની મહત્તા કમી થાય તેમ છે? નહીં; તેમ કરવાથી તે ઉલટો ફાયદો થાય છે. શું પ્રબળ પવનના જેર સામે દી ધરી રાખવાથી તે દી પિતાને પ્રકાશ રાખી શકે ખરો કે? ના, કદી નહીં! જેથી બળવાન સામે વિરોધ કરે નકામે જ છે. કારણ કે જેને ભાગ્યે જ મોટા બનાવ્યા છે, તેની સાથે રીસ કરવી ગ્ય નથી, માટે પિતાની શક્તિને વિચાર કરીને મર્યાદામાં રહીએ તો વધારે ફાયદો થાય છે એ નિયમ ધ્યાનમાં રાખીને દેવે જ મહિમાવંત કરેલા રાજાની ઊપર ગુસ્સે ન લાવતાં ગજા પ્રમાણે મર્યાદામાં -રહી તેને મસ્તક નમાવીએ તો તેથી ફાયદો થાય છે.” ] જેથી આ દૂત કહે છે તે જ કરવું યોગ્ય છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy